ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર..
કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન સરકાર ખેડૂતોની વાહરે આવે તેવી ખૂદ ધારાસભ્ય કરી માંગ..
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત રીતે વરસાદના કારણે અને માવઠાના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન ગયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છે તે માવઠાથી વરસાદના કારણે છીનવાઈ ગયો છે પરંતુ હવે કૃષિ વિભાગ અને સરકાર સામે મિટ માંડી અને ખેડૂતો બેઠા છે પરંતુ સરકાર દ્વારા પાક નુકસાન અંગેની કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી અને જે માવઠાના કારણે નુકસાન થયું છે તેનું વિશેષ વળતર પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું નથી.
ત્યારે હવે ભાજપના ધારાસભ્ય મુખ્યમંત્રી અને કૃષિ વિભાગને પત્ર લખી રહ્યા છે ગઈકાલે ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો અને આ મગફળી કપાસ જેવા પાકોને નુકસાન થયું છે તેનો સર્વે હાથ ધરી અને તાત્કાલિક સહાયની ચુકવણી કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી અને હવે ફરી એક વખત ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે કરી અને તેમને તાત્કાલિક રાહત પેકેજ સ્વરૂપે નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
દર વખતે ધારાસભ્યના પત્ર બાદ કૃષિ વિભાગ અને સરકાર જાગતી હોય છે પરંતુ આ વર્ષે પણ સરકાર ખેડૂતોની વાહરે આવી અને વિશેષ વળતર પેકે જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે ખેડૂતોના જે દેવા છે તે માફ કરવામાં આવે પાક ધિરાણની રકમ પણ માફ કરવામાં આવે મગફળી કપાસ અને એરંડા જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે તેમાં સર્વેની ટીમો કામે લગાડી અને સર્વે કરાવી અને પાક નુકસાન વળતર ની રકમ તાત્કાલિક ખાતાઓમાં જમા કરાવવામાં આવે તેવી ખેડૂતોએ પણ માંગ કરી છે.
ધારાસભ્ય શામજી ચૌહાણ મુખ્યમંત્રીને પત્ર લખતા પત્રમાં ઉમેર્યું છે કે ખેડૂતોની હાલત અત્યંત દૈન્ય છે મોઢામાં આવેલો કોડિયો ખેડૂતોનો છીનવાઈ ચૂક્યો છે તૈયાર થયેલો પાક પલળી ગયો છે શાકભાજી સોયાબીન મગફળી તલ કપાસને નુકસાન છે ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય તથા પેકેજ આપવાની રજૂઆત શામજી ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી છે..
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…