Chotila

સુરેન્દ્રનગરના વધુ એક ભાજપના ધારાસભ્યએ સીએમને માવઠાની નુકસાની સહાય આપવા માટે લખ્યો પત્ર

ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર..

કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન સરકાર ખેડૂતોની વાહરે આવે તેવી ખૂદ ધારાસભ્ય કરી માંગ..

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત રીતે વરસાદના કારણે અને માવઠાના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન ગયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છે તે માવઠાથી વરસાદના કારણે છીનવાઈ ગયો છે પરંતુ હવે કૃષિ વિભાગ અને સરકાર સામે મિટ માંડી અને ખેડૂતો બેઠા છે પરંતુ સરકાર દ્વારા પાક નુકસાન અંગેની કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી અને જે માવઠાના કારણે નુકસાન થયું છે તેનું વિશેષ વળતર પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું નથી.

ત્યારે હવે ભાજપના ધારાસભ્ય મુખ્યમંત્રી અને કૃષિ વિભાગને પત્ર લખી રહ્યા છે ગઈકાલે ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો અને આ મગફળી કપાસ જેવા પાકોને નુકસાન થયું છે તેનો સર્વે હાથ ધરી અને તાત્કાલિક સહાયની ચુકવણી કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી અને હવે ફરી એક વખત ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે કરી અને તેમને તાત્કાલિક રાહત પેકેજ સ્વરૂપે નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

દર વખતે ધારાસભ્યના પત્ર બાદ કૃષિ વિભાગ અને સરકાર જાગતી હોય છે પરંતુ આ વર્ષે પણ સરકાર ખેડૂતોની વાહરે આવી અને વિશેષ વળતર પેકે જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે ખેડૂતોના જે દેવા છે તે માફ કરવામાં આવે પાક ધિરાણની રકમ પણ માફ કરવામાં આવે મગફળી કપાસ અને એરંડા જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે તેમાં સર્વેની ટીમો કામે લગાડી અને સર્વે કરાવી અને પાક નુકસાન વળતર ની રકમ તાત્કાલિક ખાતાઓમાં જમા કરાવવામાં આવે તેવી ખેડૂતોએ પણ માંગ કરી છે.

ધારાસભ્ય શામજી ચૌહાણ મુખ્યમંત્રીને પત્ર લખતા પત્રમાં ઉમેર્યું છે કે ખેડૂતોની હાલત અત્યંત દૈન્ય છે મોઢામાં આવેલો કોડિયો ખેડૂતોનો છીનવાઈ ચૂક્યો છે તૈયાર થયેલો પાક પલળી ગયો છે શાકભાજી સોયાબીન મગફળી તલ કપાસને નુકસાન છે ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય તથા પેકેજ આપવાની રજૂઆત શામજી ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી છે..

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago