સુરેન્દ્રનગરમાં વરસાદ થી કપાસ મગફળી સહિતના પાકોને નુકસાન..
ખેડૂતો મુકાયા ચિંતામાં..
રાત્રી દરમ્યાન થયેલા વરસાદ થી કપાસ પલળી ગયો..
સમગ્ર ગુજરાત રાજ્યમાં પાંચ દિવસ માવઠાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મોડી રાત્રે અચાનક ધોધમાર વરસાદથી ખેડૂતોના જીવતા ચોંટી ગયા છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે મગફળી કપાસ એરંડા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં કપાસ વિરાટ કામ ચાલી રહ્યો છે અને મગફળી પણ જમીનમાંથી ઉલેચવામાં આવી રહી છે.ત્યારે તૈયાર થઈ ગયેલા પાક લેવાની સીઝન શરૂ થતા ની સાથે જ માવઠું વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વઢવાણ સહિતના તાલુકાઓમાં મોડી રાત્રે માવઠું વરસવા પામ્યું છે જેને લઇને કપાસ પલળી જવા પામ્યો છે અને જે જીંડવાઓ છે તેની ઉપર કપાસ ઉગ્યો હતો તે જમીન ઉપર નીચે પડી જવા પામ્યો છે જેને લઇને તેની કોલેટી ખરાબ થઈ રહી છે એક બાજુ પૂરતા ભાવ નથી મળી રહ્યા બીજી બાજુ વરસાદથી કોલેટી ખરાબ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને પૂરતા ભાવ નહીં મળી શકે તેવી ચિંતા પણ વ્યક્ત કરી છે.
બીજી તરફ મગફળી જમીનમાંથી બહાર કાઢવા માં આવી રહી છે તે પણ પલડી જવા પામી છે તેની પણ કોલેટી ખરાબ થાય તેવી શક્યતાઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 2024 ના વર્ષમાં પાક નુકસાન વળતરમાં 75,000 જેટલા ખેડૂતો હજુ પણ વળતર થી વંચિત છે ત્યારે બીજી બાજુ 2025 ના વર્ષમાં પાંચ જિલ્લામાં પાક નુકસાનના નામે 900 કરોડથી વધુની સહાય જાહેર કરવામાં આવી છે પરંતુ તેમાં સુરેન્દ્રનગર જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે..
સતત માવઠાનો માર સહન કરી ખેડૂત ખેતી કરી રહ્યો છે પરંતુ હવે તેની આર્થિક પરિસ્થિતિ કફોડી બનતી જઈ રહી છે મોંઘુ બિયારણ મોંઘી દવાઓ અને મોંઘુ ખાતર નાખી અને મહેનત કરી વાવેતર કર્યું પરંતુ મોઢામાં આવેલો કોડિયો છે તે માવઠા દ્વારા છીનવી લેવામાં આવ્યો છે માવઠાથી વ્યાપક નુકસાન છે ત્યારે હવે ખેડૂતોએ સરકાર પાસે લલકાર લગાવી છે અને સહાય રૂપી પેકેજ જાહેર કરી અને યોગ્ય વળતર માંગ પણ કરવામાં આવી છે બીજી બાજુ ટેકાના ભાવે જ્યારે કપાસની ખરીદી થાય ત્યારે ક્વોલિટીમાં બાંધછોડ કરવાની માંગ પણ ખેડૂતો દ્વારા હાલ કરવામાં આવી છે
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…