સ્નેહમિલન કાર્યક્રમમા સમાજના વિકાસ તેમજ મહત્વના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરાઈ
કાર્યક્રમમા જ્ઞાતિના આગેવાનો, શ્રેષ્ઠીજનો, વડીલો સહિત જ્ઞાતિજનો રહ્યા ઉપસ્થિત
લખતર ઉગમણા દરવાજા પાસે આવેલ લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતુ.જેમાં જ્ઞાતિના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જે કાર્યક્રમ દરમ્યાન જ્ઞાતિની દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ હતો. જ્યારે જ્ઞાતિ આગેવાનો દ્વારા પોતાના પ્રવચન દરમ્યાન સામાજિક પ્રશ્નો, શિક્ષણ વ્યાપ વધારવા, વિશ્વકર્મા કૌશલ્ય યોજના, સમૂહ લગ્ન, યુવાઓના ભવિષ્ય જેવા મુદ્દાઓ પર અનેક સૂચનો કરાયા હતા.સાથે સમાજના સર્વાંગી વિકાસ અને એકતા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લુહાર સુથાર જ્ઞાતિના વડીલો, આગેવાનો, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે લખતર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળના માર્ગદર્શન હેઠળ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…