સુરેન્દ્રનગર : સાયલા આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા સાધન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ તાલુકાના દિવ્યાંગ ભાઈઓ-બહેનોને સહાયક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને વ્હીલચેર, ટ્રાયસિકલ, સિલાઈ મશીન સહિતના જીવન-જરૂરી સાધનો વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.
માનવસેવાના આ ઉમદા કાર્યક્રમમાં ધ્રાંગધ્રા તાલુકાના દિવ્યાંગ સમાજ સેવિકા દેપાળા સીતાબેન અને રાજેશભાઈએ સંસ્થા સાથે સંકલન સાધીને તાલુકાના લાભાર્થીઓ માટે પાંચ જેટલી ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સહાય મળવાથી દિવ્યાંગ ભાઈઓ-બહેનોના જીવનમાં નવી આશા, આત્મવિશ્વાસ અને સુવિધાનો સંચાર થયો છે. ટ્રસ્ટના આ પ્રયાસથી દિવ્યાંગોને સમાજમાં સન્માનભેર અને સ્વાવલંબી જીવન જીવવામાં મોટી મદદ મળી રહેશે. માનવતાના આ કાર્યને સૌએ બિરદાવ્યું હતું.