સમારકામની કામગીરીને આખરી ઓપ..
દુધરેજ પુલ બંધ કરવામાં આવતા છેલ્લા 4 મહિના થી પ્રજા બની છે પરેશાન..
19 નવેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવાની તંત્રની હૈયાધારણા..

વડોદરામાં બ્રિજ તૂટવાની દુર્ઘટના બન્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના 13 જેટલા પૂલોને જર્જરીત જાહેર કરી અને બંધ કરવામાં આવ્યા હતા જેમાં દુધરેજ નર્મદાની કેનાલ ઉપર અંદાજિત 25 વર્ષ પહેલા બનાવવામાં આવેલો પુલ હતો તે પણ જર્જરીત જ બની ગયો હતો અને તેના સળિયા દેખાતા હતા અને નીચેના ભાગેથી પોપડા પણ ખરતા હતા આ સંદર્ભે તપાસ કરી અને એન્જિનિયરો દ્વારા આ પુલ બંધ કરી અને તેને સમારકામની જરૂર હોય તેવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
આ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી અને આ પુલ બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેનું જે ડ્રાય વર્ઝન આપવામાં આવ્યું હતું તેને લઈને પબ્લિક અને વાહન ચાલકો પરેશાની નો સામનો આજ દિન સુધી કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા અંદાજિત 1.20 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલનું સમારકામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરને સમગ્ર કામ સોંપવામાં આવ્યું હતું. ત્યારે હવે તેની ટાઈમ લિમિટ પૂર્ણ થવા જઈ રહી છે 19 મી નવેમ્બરને પુલ સમારકામ કરી અને તંત્રને સોંપવાનો રહેશે તેવું કોન્ટ્રાક્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ત્યારે હાલના તબક્કામાં નર્મદાની કેનાલ નીચેથી પસાર થતી હોય અને પુલનું કામ ચાલી રહ્યું છે અને આખરી તબક્કામાં હવે આ પુલનું કામ પહોંચી ચૂક્યું છે 19મી નવેમ્બરથી આ પુલ ખુલ્લો મુકવાની તૈયારી તંત્ર દ્વારા દેખાડવામાં આવી છે. નર્મદા વિભાગની અંદરમાં આ પુલ આવી રહ્યો છે. ત્યારે હવે ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવે તેવી સૂચનાઓ કોન્ટ્રાક્ટરને અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહી છે કારણ કે 40 થી વધુ ગામના લોકો પરેશાની નો સામનો હાલ કરી રહ્યા છે અને વાહન ચાલકોને પણ બે કિલોમીટરનું રસ્તો કાપતા 30 મિનિટનું સમય ગાળો વીતી રહ્યો છે.
ત્યારે હવે 19 મી નવેમ્બર સુધીમાં કામ પૂરું કરી અને આ સમગ્ર પુલ સમારકામ કરી અને વાહન ચાલકોને માટે ખુલ્લો મુકવા તંત્ર દ્વારા હાલ જણાવવામાં આવી રહ્યું છે હાલના તબક્કામાં માલવણ ધાંગધ્રા કચ્છ પાટડી બહુચરાજી તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે 19મી નવેમ્બરે પુલ શરૂ થઈ જતા વાહન ચાલકોને હાલાકી માંથી મુક્તિ મળશે અને સરળતાથી એમ્બ્યુલન્સ સહિતના મોટા વાહનો પણ અવર-જવર કરી શકશે હાલના તબક્કામાં એમ્બ્યુલન્સ ટ્રક જેવા વાહનો ચાલવા દેવામાં આવતા નથી જેને લઈને તેમને પણ માલવણ અમદાવાદ અને કચ્છ તરફ જવું હોય તો હાલાકીના સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તેમને પણ હાલાકીમાંથી મુક્તિ મળશે