Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરનો દુધરેજનો બંધ કરવામાં આવેલો પુલ 19 નવેમ્બર સુધીમાં સમારકામ પૂર્ણ થઈ જશે.

jeet 4 November 2025
Untitled design_20251104_095949_0000

સમારકામની કામગીરીને આખરી ઓપ..

દુધરેજ પુલ બંધ કરવામાં આવતા છેલ્લા 4 મહિના થી પ્રજા બની છે પરેશાન..

Join Our WhatsApp Group

19 નવેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવાની તંત્રની હૈયાધારણા..

વડોદરામાં બ્રિજ તૂટવાની દુર્ઘટના બન્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના 13 જેટલા પૂલોને જર્જરીત જાહેર કરી અને બંધ કરવામાં આવ્યા હતા જેમાં દુધરેજ નર્મદાની કેનાલ ઉપર અંદાજિત 25 વર્ષ પહેલા બનાવવામાં આવેલો પુલ હતો તે પણ જર્જરીત જ બની ગયો હતો અને તેના સળિયા દેખાતા હતા અને નીચેના ભાગેથી પોપડા પણ ખરતા હતા આ સંદર્ભે તપાસ કરી અને એન્જિનિયરો દ્વારા આ પુલ બંધ કરી અને તેને સમારકામની જરૂર હોય તેવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

આ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી અને આ પુલ બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેનું જે ડ્રાય વર્ઝન આપવામાં આવ્યું હતું તેને લઈને પબ્લિક અને વાહન ચાલકો પરેશાની નો સામનો આજ દિન સુધી કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા અંદાજિત 1.20 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલનું સમારકામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરને સમગ્ર કામ સોંપવામાં આવ્યું હતું. ત્યારે હવે તેની ટાઈમ લિમિટ પૂર્ણ થવા જઈ રહી છે 19 મી નવેમ્બરને પુલ સમારકામ કરી અને તંત્રને સોંપવાનો રહેશે તેવું કોન્ટ્રાક્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ત્યારે હાલના તબક્કામાં નર્મદાની કેનાલ નીચેથી પસાર થતી હોય અને પુલનું કામ ચાલી રહ્યું છે અને આખરી તબક્કામાં હવે આ પુલનું કામ પહોંચી ચૂક્યું છે 19મી નવેમ્બરથી આ પુલ ખુલ્લો મુકવાની તૈયારી તંત્ર દ્વારા દેખાડવામાં આવી છે. નર્મદા વિભાગની અંદરમાં આ પુલ આવી રહ્યો છે. ત્યારે હવે ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવે તેવી સૂચનાઓ કોન્ટ્રાક્ટરને અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહી છે કારણ કે 40 થી વધુ ગામના લોકો પરેશાની નો સામનો હાલ કરી રહ્યા છે અને વાહન ચાલકોને પણ બે કિલોમીટરનું રસ્તો કાપતા 30 મિનિટનું સમય ગાળો વીતી રહ્યો છે.

ત્યારે હવે 19 મી નવેમ્બર સુધીમાં કામ પૂરું કરી અને આ સમગ્ર પુલ સમારકામ કરી અને વાહન ચાલકોને માટે ખુલ્લો મુકવા તંત્ર દ્વારા હાલ જણાવવામાં આવી રહ્યું છે હાલના તબક્કામાં માલવણ ધાંગધ્રા કચ્છ પાટડી બહુચરાજી તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે 19મી નવેમ્બરે પુલ શરૂ થઈ જતા વાહન ચાલકોને હાલાકી માંથી મુક્તિ મળશે અને સરળતાથી એમ્બ્યુલન્સ સહિતના મોટા વાહનો પણ અવર-જવર કરી શકશે હાલના તબક્કામાં એમ્બ્યુલન્સ ટ્રક જેવા વાહનો ચાલવા દેવામાં આવતા નથી જેને લઈને તેમને પણ માલવણ અમદાવાદ અને કચ્છ તરફ જવું હોય તો હાલાકીના સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તેમને પણ હાલાકીમાંથી મુક્તિ મળશે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં વરસાદ થી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીને નુકસાન..
Next: સુરેન્દ્રનગરના વસ્તડી પુલનું કામ ખાતમહુર્ત બાદ છેલ્લા 4 મહિના થી બંધ હાલતમાં.

Related News

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

પાકિસ્તાનમાં અનોખો ટેક્સ: ગાય-ભેંસ પાળવા પર દરરોજ ચૂકવવા પડશે 30 રૂપિયા, વિપક્ષે ગણાવ્યો ‘ગોબર ટેક્સ’

user 2 4 April 2026
Surendranagar Update New Logo

ચોક્કસ, સુપ્રીમ કોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદા અંગેના સમાચાર અહીં ક્રમબદ્ધ રીતે રજૂ કર્યા છે:

user 2 4 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add