મુળી તાલુકાના સરા અને વીરપર ચોકડી વચ્ચે એક સીએનજી (CNG) રીક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં વનરાજભાઈ ઉઘરેજીયા નામના વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
જોકે, ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વનરાજભાઈની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવી અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી હતી.
