ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં નિમણૂક કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ જવાબદારી મળતા કાર્યકરો અને વિવિધ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ નિમણૂકને વધાવવા માટે ધ્રાંગધ્રા દરજી સમાજના અગ્રણીઓ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા દરજી સમાજના આગેવાનોએ પૂર્વ મંત્રી આઇ.કે. જાડેજાના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી.
સમાજના પ્રતિનિધિઓએ તેમને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે દરજી સમાજના પ્રમુખ કિશોરભાઈ ચૌહાણ, ટ્રસ્ટી દીપકભાઈ સેડલીયા અને રવિભાઈ વાઘેલા સહિત મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા. ભાજપ સંગઠનમાં પૂર્વ મંત્રીના અનુભવનો લાભ લેવા માટે કરાયેલી આ વરણીને સૌએ આવકારી હતી.
