Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર ચોટીલા દર્શનાર્થે જતા પદયાત્રીઓનું ઘોડાપુર

user 2 30 March 2026
વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર ચોટીલા દર્શનાર્થે જતા પદયાત્રીઓનું ઘોડાપુર

સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમનો મહિમા અનેરો છે. આગામી ચૈત્રી પૂનમે મા ચામુંડાના દર્શન કરવા અને ધજા ચડાવવા માટે હાલ ગુજરાતભરમાંથી માઈભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.

ખાસ કરીને વિરમગામ, લખતર અને સુરેન્દ્રનગર હાઈવે પર છેલ્લા 2 દિવસથી પદયાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ગાંધીનગર, અમદાવાદ, સાણંદ, મહેસાણા અને કડી-કલોલ જેવા વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ પગપાળા ચોટીલા જવા રવાના થયા છે.

Join Our WhatsApp Group

ઝાલાવાડના રસ્તાઓ હાલ ‘ચામુંડા માત કી જય’ના નાદથી ગુંજી ઉઠ્યા છે. પદયાત્રીઓની સુવિધા માટે લખતર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. વિઠ્ઠલગઢ, છારદ, ઓળક, કડુ અને ગેથળા હનુમાન મંદિર જેવા સ્થળોએ સેવાભાવી ગૃપો દ્વારા પદયાત્રીઓ માટે જમવા, નાસ્તો, ચા-પાણી અને આરામની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને સેવા કેમ્પોમાં ઠંડા તરબૂચ, આઈસ્ક્રીમ, લસ્સી અને શેરડીના રસ જેવી વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉનાળાના ધોમધખતા તાપમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ અત્યંત ઉત્સાહ સાથે પદયાત્રા કરી રહ્યા છે. સેવા કેમ્પોમાં ભક્તો માટે દવાઓ અને મોબાઈલ ચાર્જિંગ જેવી પાયાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પદયાત્રીઓએ સેવાભાવી સંસ્થાઓની આ કામગીરીને બિરદાવી છે. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા લખતર પંથકમાં હાલ ભક્તિમય માહોલ છવાયો છે અને માઈભક્તોની અતૂટ શ્રદ્ધાના દર્શન થઈ રહ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: દસાડા: બજાણા ફાટક પાસે ડમ્પર અને ST બસ વચ્ચે અકસ્માત, વાહન ચાલકો ઇજાગ્રસ્ત
Next: દુધરેજમાં RSS પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદનો સેવા મિલન યોજાયો

Related News

ચોટીલાના ગુંદા ગામે 13 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

ચોટીલાના ગુંદા ગામે 13 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

user 2 5 April 2026
ચોટીલામાં કોંગ્રેસને મોટો ઝટકો: 20 થી વધુ સક્રિય કાર્યકરોએ આપમાં જોડાયા

ચોટીલામાં કોંગ્રેસને મોટો ઝટકો: 20 થી વધુ સક્રિય કાર્યકરોએ આપમાં જોડાયા

user 2 3 April 2026
ચોટીલામાં ચૈત્રી પૂનમે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં ચામુંડાના દર્શન કર્યા

ચોટીલામાં ચૈત્રી પૂનમે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં ચામુંડાના દર્શન કર્યા

user 2 2 April 2026

Recent Post

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ Bhagwat Katha Kothariya

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

5 April 2026
સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો surendranagar-rto-fine-overload-vehicles-2-crore-penalty

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

5 April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ district magistrate surendranagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

5 April 2026
સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ district magistrate surendranagar

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

5 April 2026
પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ ik-jadeja-bjp-core-committee-darji-samaj-felicitation

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

5 April 2026
સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

5 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add