Dhrangadhra Land Fraud | સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના જીવા ગામે જમીન પચાવી પાડવાના એક ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જીવા ગામમાં સર્વે નંબર 909 વાળી ખેતીલાયક જમીનના મૂળ માલિક નીતાબા નવલસિંહ રાણાએ આ જમીન પોતાના એક સ્વજનને ખેડાણ (Farming) માટે આપી હતી. જોકે, જમીન માલિક મહિલા હયાત હોવા છતાં, ભૂમાફિયાઓએ તેમનું બોગસ ડેથ સર્ટિફિકેટ (Fake Death Certificate) બનાવી જમીન પોતાના નામે ચડાવવાનો કારસો રચ્યો હતો.
આ છેતરપિંડીની જાણ ત્યારે થઈ જ્યારે વર્ષ 2025માં આ જમીન પર માલિકની જાણ બહાર રાજદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના નામની વારસાઈ માટેની કાચી નોંધ (Draft Entry) પાડવામાં આવી હતી. મહિલાને શંકા જતાં તપાસ કરતા માલૂમ પડ્યું કે, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નાનીરવ ગામેથી તેમનું ખોટું મરણ પ્રમાણપત્ર કઢાવવામાં આવ્યું હતું. આ આધારે જમીન હડપવા (Land Grabbing) માટે ખોટા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કૌભાંડમાં પંચ તરીકે મહાવીરસિંહ જાડેજા અને કિશોરસિંહ જાડેજાની હાજરીમાં રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર ખોટી વારસાઈ રજૂ કરી હતી, જેમાં રામદેવસિંહ નામના શખ્સે ઓળખ આપી હતી. આખરે સત્ય બહાર આવતા જમીન માલિક મહિલાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા અને રામદેવસિંહ વિરુદ્ધ ગુનો (Complaint) નોંધાવ્યો છે. હાલ પોલીસ આ ભૂમાફિયાઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી રહી છે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…