ધ્રાંગધ્રા | સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે પર આવેલી ખાનગી (Hotel) અને (Guest House)માં જાહેરનામાના ભંગની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. તાજેતરમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં કલ્પના ચોકડી નજીક આવેલી ‘પેલેસ ધી હોટલ’ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ તમામ હોટલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોએ તેમના ત્યાં આવતા ગ્રાહકોની વિગતો પથિક સોફ્ટવેર (Pathik Software)માં ઓનલાઇન નોંધવી ફરજિયાત છે. આ નિયમ સુરક્ષા દ્રષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. છતાં, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ‘પેલેસ ધી હોટલ’ના સંચાલક બ્રિજરાજસિંહ નવનીતસિંહ ઝાલાએ તા. ૨૨/૧૨/૨૦૨૫થી આજદિન સુધી ગ્રાહકોની એન્ટ્રી સોફ્ટવેરમાં નોંધાવી નથી.
આ બાબત બહાર આવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે હોટલ પરિસરમાં ‘સ્પા’ પણ સંચાલિત થઈ રહ્યું છે અને બંનેનો પ્રવેશદ્વાર એક જ છે, જે સુરક્ષા દ્રષ્ટિએ ચિંતાજનક માનવામાં આવે છે.
ગેસ્ટ હાઉસમાં રોકાતા લોકોની ઓળખ નોંધવામાં ન આવે તો કાયદો-વ્યવસ્થા માટે જોખમ ઊભું થઈ શકે છે. હવે આ મામલે સુરેન્દ્રનગર (SOG Police) દ્વારા આગળ શું કડક પગલાં લેવામાં આવશે તેના પર સૌની નજર છે
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…