દસાડાના વ્યકતીને ગ્લોબલ વાઇલ્ડ લાઇફ ફેર 2025 માં ‘લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ’ એનાયત:
કચ્છના નાના રણમાં વન્યજીવન સંરક્ષણ માટે બહુમાન
દેશની રાજધાની ખાતે તાજેતરમાં આયોજિત ગ્લોબલ વાઇલ્ડ લાઇફ ફેર-૨૦૨૫ માં ગુજરાતના એક વન્યજીવન સંરક્ષકને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દસાડા તાલુકાના જૈનાબાદ ગામના અને સોહરવર્દી પરિવારના સબીરભાઈ ખાનજીભાઈ મલેકને વન્યજીવન સંરક્ષણ અને પર્યાવરણીય સ્વરક્ષણના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. સબીરભાઈએ ખાસ કરીને ગુજરાતના કચ્છના નાના રણ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે નોંધપાત્ર કાર્ય કરતા તેઓનું સન્માન કરવામાં આવ્યું છે.
તેમના આ સન્માનથી ગુજરાતનું નામ રાષ્ટ્રીય ફલક પર ગૌરવવંતુ થયું છે. આ એવોર્ડ તેમના દાયકાઓથી ચાલતા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોની કદર છે, જેણે કચ્છના નાના રણની અનન્ય ઇકોસિસ્ટમ અને ત્યાંના વન્યજીવોને સુરક્ષિત રાખવામાં મોટો ભાગ ભજવ્યો છે. ગ્લોબલ વાઇલ્ડ લાઇફ ફેર એવોર્ડ્સ દ્વારા દેશભરમાંથી વન્યજીવન સંરક્ષણમાં યોગદાન આપનાર વ્યક્તિઓને બિરદાવી રહ્યુ છે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…