ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર..
કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન સરકાર ખેડૂતોની વાહરે આવે તેવી ખૂદ ધારાસભ્ય કરી માંગ..
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત રીતે વરસાદના કારણે અને માવઠાના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન ગયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છે તે માવઠાથી વરસાદના કારણે છીનવાઈ ગયો છે પરંતુ હવે કૃષિ વિભાગ અને સરકાર સામે મિટ માંડી અને ખેડૂતો બેઠા છે પરંતુ સરકાર દ્વારા પાક નુકસાન અંગેની કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી અને જે માવઠાના કારણે નુકસાન થયું છે તેનું વિશેષ વળતર પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું નથી.
ત્યારે હવે ભાજપના ધારાસભ્ય મુખ્યમંત્રી અને કૃષિ વિભાગને પત્ર લખી રહ્યા છે ગઈકાલે ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો અને આ મગફળી કપાસ જેવા પાકોને નુકસાન થયું છે તેનો સર્વે હાથ ધરી અને તાત્કાલિક સહાયની ચુકવણી કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી અને હવે ફરી એક વખત ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે કરી અને તેમને તાત્કાલિક રાહત પેકેજ સ્વરૂપે નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
દર વખતે ધારાસભ્યના પત્ર બાદ કૃષિ વિભાગ અને સરકાર જાગતી હોય છે પરંતુ આ વર્ષે પણ સરકાર ખેડૂતોની વાહરે આવી અને વિશેષ વળતર પેકે જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે ખેડૂતોના જે દેવા છે તે માફ કરવામાં આવે પાક ધિરાણની રકમ પણ માફ કરવામાં આવે મગફળી કપાસ અને એરંડા જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે તેમાં સર્વેની ટીમો કામે લગાડી અને સર્વે કરાવી અને પાક નુકસાન વળતર ની રકમ તાત્કાલિક ખાતાઓમાં જમા કરાવવામાં આવે તેવી ખેડૂતોએ પણ માંગ કરી છે.
ધારાસભ્ય શામજી ચૌહાણ મુખ્યમંત્રીને પત્ર લખતા પત્રમાં ઉમેર્યું છે કે ખેડૂતોની હાલત અત્યંત દૈન્ય છે મોઢામાં આવેલો કોડિયો ખેડૂતોનો છીનવાઈ ચૂક્યો છે તૈયાર થયેલો પાક પલળી ગયો છે શાકભાજી સોયાબીન મગફળી તલ કપાસને નુકસાન છે ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય તથા પેકેજ આપવાની રજૂઆત શામજી ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી છે..
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…