Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરના વધુ એક ભાજપના ધારાસભ્યએ સીએમને માવઠાની નુકસાની સહાય આપવા માટે લખ્યો પત્ર

jeet 30 October 2025
IMG-20251030-WA0024

ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર..

કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન સરકાર ખેડૂતોની વાહરે આવે તેવી ખૂદ ધારાસભ્ય કરી માંગ..

Join Our WhatsApp Group

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત રીતે વરસાદના કારણે અને માવઠાના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન ગયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છે તે માવઠાથી વરસાદના કારણે છીનવાઈ ગયો છે પરંતુ હવે કૃષિ વિભાગ અને સરકાર સામે મિટ માંડી અને ખેડૂતો બેઠા છે પરંતુ સરકાર દ્વારા પાક નુકસાન અંગેની કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી અને જે માવઠાના કારણે નુકસાન થયું છે તેનું વિશેષ વળતર પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું નથી.

ત્યારે હવે ભાજપના ધારાસભ્ય મુખ્યમંત્રી અને કૃષિ વિભાગને પત્ર લખી રહ્યા છે ગઈકાલે ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો અને આ મગફળી કપાસ જેવા પાકોને નુકસાન થયું છે તેનો સર્વે હાથ ધરી અને તાત્કાલિક સહાયની ચુકવણી કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી અને હવે ફરી એક વખત ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે કરી અને તેમને તાત્કાલિક રાહત પેકેજ સ્વરૂપે નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

દર વખતે ધારાસભ્યના પત્ર બાદ કૃષિ વિભાગ અને સરકાર જાગતી હોય છે પરંતુ આ વર્ષે પણ સરકાર ખેડૂતોની વાહરે આવી અને વિશેષ વળતર પેકે જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે ખેડૂતોના જે દેવા છે તે માફ કરવામાં આવે પાક ધિરાણની રકમ પણ માફ કરવામાં આવે મગફળી કપાસ અને એરંડા જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે તેમાં સર્વેની ટીમો કામે લગાડી અને સર્વે કરાવી અને પાક નુકસાન વળતર ની રકમ તાત્કાલિક ખાતાઓમાં જમા કરાવવામાં આવે તેવી ખેડૂતોએ પણ માંગ કરી છે.

ધારાસભ્ય શામજી ચૌહાણ મુખ્યમંત્રીને પત્ર લખતા પત્રમાં ઉમેર્યું છે કે ખેડૂતોની હાલત અત્યંત દૈન્ય છે મોઢામાં આવેલો કોડિયો ખેડૂતોનો છીનવાઈ ચૂક્યો છે તૈયાર થયેલો પાક પલળી ગયો છે શાકભાજી સોયાબીન મગફળી તલ કપાસને નુકસાન છે ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય તથા પેકેજ આપવાની રજૂઆત શામજી ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી છે..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Shamji Chauhan (શામજી ચૌહાણ)

Post navigation

Previous: સરકારી વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલા સુરેન્દ્રનગરના અધિકારીઓના ટેલીફોન નંબર મૂંગા..
Next: સુરેન્દ્રનગરમાં વરસાદ થી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીને નુકસાન..

Related News

ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં ભક્તોનું ઘોડાપૂર: 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હાઈવે પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ

ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં ભક્તોનું ઘોડાપૂર: 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હાઈવે પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ

user 2 22 March 2026
ચોટીલા હાઈવે પર કમકમાટીભર્યો ત્રિપલ અકસ્માત: ઠાકોર પરિવારના 2 સભ્યોના મોત

ચોટીલા હાઈવે પર કમકમાટીભર્યો ત્રિપલ અકસ્માત: ઠાકોર પરિવારના 2 સભ્યોના મોત

user 2 20 March 2026
ચોટીલા હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં અમદાવાદના પરિવારના 2 સભ્યોના મોત

ચોટીલા હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં અમદાવાદના પરિવારના 2 સભ્યોના મોત

user 2 20 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add