સ્થાનિક લોકોએ વીજ વિભાગને જાણ કરી..
મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં હેવીલાઇન પર થી વૃક્ષનો ભાગ હટાવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો..
સુરેન્દ્રનગર શહેરની અરુણા સોસાયટી નજીક વૃક્ષ નો ભાગ વીજ વિભાગની પસાર થતી હેવી લાઇન ઉપર પડવા પામ્યો હતો ત્યારે મોટી દુર્ઘટના અને શોર્ટ સર્કિટ સર્જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી જોકે સ્થાનિક લોકો દ્વારા આ અંગે વીજ વિભાગના અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને હેવી લાઇન ઉપર પડેલી વૃક્ષોની ડાળીઓ હટાવવા માંગ કરવામાં આવી હતી.
જોકે આ સંદર્ભે ત્યાંથી પસાર થતા પશુઓ તેમજ સ્થાનિક લોકોના જીવ જોખમમાં મુકાય તે પ્રકારની પરિસ્થિતિ હતી મુખ્ય લાઈન ઉપર જ વૃક્ષની ડાળીઓ તૂટી અને પડવા પામી હતી. આ ઉપરાંત મુખ્ય રોડ પણ પ્રસાર થતો હોવાના કારણે ત્યાંથી વાહન ચાલકો પણ પસાર થતા હોય ત્યારે શોર્ટ સર્કિટ સર્જાતો મોટી જાનહાનની સર્જાય તેવા એંધાણ સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યા હતા..
જોકે સોસાયટીના સ્થાનિક લોકોએ વિવિધ વિભાગનો સંપર્ક કર્યા બાદ વીજ વિભાગની ટીમ ઈમરજન્સીમાં ત્યાં દોડી ગઈ હતી અને ત્યારબાદ વીજ વાયરો ઉપર પડેલી ડાળીઓ દૂર કરી અને ત્યારબાદ વીજ પુરવઠો પુનઃ રીતે સોસાયટીઓમાં શરૂ કરવામાં આવ્યો હતો સ્થાનિક લોકો દ્વારા વીજ વિભાગની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને મોટી દુર્ઘટના ટળી હોવા થી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…