પોલીસ વિભાગ દ્વારા પાડવામાં આવ્યા દરોડા..
ગેરકાયદેસર ખાણો પર દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી..
ખાણ ખનિજ વિભાગની કામગીરી શંકા ના દાયરામાં..
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર સતત દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં પોલીસ વિભાગ અને ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે જે કામગીરી ખાણ ખનીજ વિભાગને કરવાની હોય તે કામગીરી પોલીસ અને પ્રશાસન વિભાગ કરી રહ્યું છે જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ભાડુંલા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણો ઉપર પોલીસ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણો માંથી ચાર ટ્રેક્ટર ચાર ચરખી સાત મોટરસાયકલ પકડી પાડવામાં આવ્યું છે અને સમગ્ર મુદ્દામાલ થાનગઢ મામલતદારને સોંપવામાં આવ્યો છે અને આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જોકે રેડ દરમિયાન ખનીજ માફિયાઓ નાસી છૂટવા પામ્યા છે ત્યારે કોના દ્વારા ગેરકાયદેસરખાણો ખોદવામાં આવી હતી અને સમગ્ર કાર્બોસેલ ચોરીનું રેકેટ ચલાવવામાં આવતું હતું તે દિશામાં પણ પોલીસ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે..
અંદાજિત એક કરોડથી વધુ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ગેરકાયદેસર કાર્બોસેલ નો જથ્થો પણ જપ્ત કરીને મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે ત્યારે ખનીજ ચોરી ઉપર હવે પોલીસ વિભાગના દરોડા બાદ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અત્યારે એક તરફ પ્રાંત અધિકારી અને બીજી તરફ પોલીસ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે ખાણ ખનીજ વિભાગ સમગ્ર પ્રક્રિયા નરી આંખે જોતી હોવાનો ઘાટ સર્જાયો છે