શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકાના તમામ રોડ રસ્તાઓ ઉપર થર્મોપ્લાસ્ટ તથા કેટઆઈની કામગીરી શરૂ કરવામાં આવી..
11 જેટલા રોડ રસ્તા ની રીસર્ફેકસીંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી..
દિવસ દરમિયાન માટી અને ધૂળ ના ઉડે તે માટે રાત્રી સફાઈ ઝુંબેશ અને શહેરના મુખ્ય માર્ગો પાણીથી ધોવાણ કરવાની કામગીરીનો પણ આજથી પ્રારંભ..
સુરેન્દ્રનગર શહેરમાં રાત્રી દરમિયાન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને મુખ્ય માર્ગો ઉપર નાખવામાં આવેલા ડિવાઇનરો ઉપર વાહન અથડાવાની ઘટનાઓ બની રહી છે જેને લઈને વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે ત્યારે રોડ સેફટીને ધ્યાને લઇ અને અકસ્માત નિવારવા માટે મહાનગરપાલિકા એકશન પ્લાન ત્યાર કરવામાં આવ્યો છે. ત્યારે શહેરીજનોની સુરક્ષા ને લઈ અને મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ રોડ રસ્તાઓ ઉપર થર્મોપ્લાસ્ટ તથા કેટ આયની કામગીરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઇને શહેરના તમામ માર્ગો ઉપર કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર શહેરની ટાંકી ચોકથી લઇ પતરાવાળી ચોક તેમજ હેડલુમ થી ફુવારા ચોક અને પાણીની ટાંકીથી મલ્હાર ચોક અને મલ્હાર ચોકથી દાળમિલ રોડ પર પ્રથમ વખત શહેરમાં રીસરફેક્શનની કામગીરી પૂર્ણ કરી અને ત્યારબાદ થર્મોપ્લાસ્ટ અને કેટ આયની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ ઉપરાંત શહેરના બ્રહ્માકુમારી આર્ટ્સ કોલેજ તેમજ જિનતાન રોડ અલંકાર ટોકીઝ રોડ આંબેડકર સર્કલ થી લઇ રિવરફ્રન્ટ ને જોડતો રોડ તેમજ ભક્તિ નંદન સર્કલ 80 ફુટ રોડ અણઘટનાથ મહાદેવ થી રિવરફ્રન્ટ ને જોડતા રોડ ઉપર રીસર્ફેકસીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રોડ રસ્તા ના કામોને પ્રથમ પ્રાધાન્યતા આપવામાં આવી રહી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર ડો.નવનાથ ગવહાણે ની સૂચનાથી અલગ અલગ ટીમોને કામે લગાવી અને કામગીરી તાત્કાલિક પૂરી થાય તે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે..
આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરમાં દિવસભર વાહન ચાલકોને તથા શહેરીજનોને ધૂળ ન ઉડે તેમ જ સુરેન્દ્રનગરનું વાતાવરણ પ્રદૂષિત ન બને અને એર ક્વોલીટી ઇન્ડેક્સ જળવાય તે માટે રાત્રી દરમિયાન સફાઈ કામગીરી શરૂ કરાવવામાં આવી છે અને શહેરના મુખ્ય માર્ગો ને પાણીથી છટકાવ કરી ધોવાણ કરી અને શહેર સ્વચ્છ બને તે પ્રકારની કામગીરીનો પણ મહાનગરપાલિકા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત શહેરના મોટાભાગના રોડ રસ્તાની રીસર્ફેકસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ટૂંક જ સમયમાં શહેરના તમામ માર્ગો ઉપર થર્મોપ્લાસ્ટ તથા કેટ આઈ લગાવવાની કામગીરી પણ પૂર્ણ કરવાની તૈયારી તંત્ર દ્વારા દેખાડવામાં આવી છે..