સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૩માં વઢવાણ ખોજના કબ્રસ્તાનથી ગણપતિ મંદિર સુધીના રૂપિયા ૪૦ લાખના ખર્ચે ૭૦૦ મીટર લાંબા સીમેન્ટ કોંક્રીટ (સીસી) રોડના નિર્માણ કાર્યનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક તથા વઢવાણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે યોજાયો હતો. વોર્ડના કોર્પોરેટર જગદીશભાઈ દલવાડી કાંતીભાઇ માસ્તર સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વઢવાણ વિસ્તારના નાગરિકોની લાંબા સમયથી રાહ જોવાતી માંગણીને પૂર્ણ કરવા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ રોડથી સ્થાનિક રહેવાસીઓને આવન-જાવનમાં સરળતા મળશે અને વિસ્તારના વિકાસને નવી ગતિ મળવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ રોડનું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઈજનેરી વિભાગ દ્વારા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું છે.