24 કલાકમાં 6 જેટલા ડેંગ્યુ અને મેલેરિયાના કેસો દાખલ..
આરોગ્ય વિભાગે 10 થી વધુ ટિમો કામેં લગાવી..
ફોગિંગ અને સ્પ્રે છટકાવની કામગીરી શરૂ કરવામાં આવી.

માવઠા બાદ રોગચાળો ફાટી નીકળ્યો..
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ બાદ હવે રોગચાળો ફાટી નીકળ્યો છે માવઠાના વરસાદ બાદ હવે ડેન્ગ્યુ મેલેરિયા શરદી ઉધરસ તાવ ના કેશોની સંખ્યામાં વધારો થયો છે છેલ્લી 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છ જેટલા ડેન્ગ્યુ મેલેરિયાના પોઝિટિવ કેસો દાખલ થયા છે જેને લઇને સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે અને આરોગ્ય વિભાગની ટીમોને કામે લગાવી અને મચ્છરનો ઉપદ્રવ ઘટે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા 10 જેટલી ટીમો ફોગિંગ તેમજ સર્વેલાન્સ અને પ્રે છંટકાવની કામગીરી માટે મેદાનને ઉતારવામાં આવી છે હાલની પરિસ્થિતિમાં માવઠાનો વરસાદ છેલ્લા પાંચ દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસી રહ્યો છે ત્યારે ખુલ્લામાં પડેલા પાત્રો ટાયરોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે જેને લઇને ડેન્ગ્યુ ના મચ્છરોનો ઉપદ્ર વધી રહ્યો છે સામે શહેરી વિસ્તારોમાં ઠેરઠેર જગ્યાઓ ઉપર ગંદકી હોવાના કારણે મેલેરિયાના મચ્છર નો ઉપદ્રવ પણ વધી રહ્યો છે.
કરે છેલ્લી 24 કલાક માટે 6 પોઝિટિવ કેસ દાખલ થતા તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે હાલના તબક્કામાં આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે જઈ અને પુરા નું ચેકિંગ કરી રહી છે આ ઉપરાંત ભોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જ્યાં ડેન્ગ્યુ મેલેરીયા ના કેશો દાખલ થયા છે ત્યાં આજુબાજુના ઘરોમાં તપાસ કામગીરી હાથ ધરી અને ભરેલા પાણીના કુંડા અથવા તો ટાયરોમાં ભરાયેલા પાણી દૂર કરવાની તેમજ ડેન્ગ્યુ જે પોરા માંથી જન્મે છે તે હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
હજુ પણ વરસાદી વાતાવરણ સક્રિય છે રોગચાળો ફાટી નીકળવાની દેશ જ સર્જાય છે ત્યારે ડેન્ગ્યુ મેલેરિયાના કેસો તો દાખલ થાય છે પરંતુ શરદી ઉધરસ તાવ અને ઝાડા ઉલટીના કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે છેલ્લી 24 કલાકની OPD સિવિલ હોસ્પિટલની 600 થી વધુ દર્દીઓની નોંધાઈ છે અત્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ એ પણ રોગચાળો ફાટી નીકળતા દવા છંટકાવવાને ફોગિંગ ની કામગીરી શરૂ કરી છે..