સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ શાસ્ત્રી અને નામાંકિત જ્યોતિષાચાર્ય (Astrologer) શ્રી બંસલકુમાર જાની દ્વારા લિખિત સત્યનારાયણ ભગવાનની વ્રત કથા પર આધારિત વિશેષ પુસ્તક “સત્યમ્ પરમ ધીમહિ:” નું ભવ્ય પ્રકાશન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક પુસ્તકનું પ્રકાશન સુરેન્દ્રનગરની જાણીતી જીઆરસીએ (GRCA) સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં સામાન્ય ભક્તો પણ સરળતાથી પૂજા કરી શકે તે માટે સરળ પૂજા પદ્ધતિ અને વ્રત કથાનું ઊંડાણપૂર્વક સચોટ વર્ણન કરવામાં આવ્યું છે.
પુસ્તકના પ્રકાશન અવસરે શાસ્ત્રી બંસલકુમાર જાનીએ જિલ્લા ભાજપા (BJP) કાર્યાલય ‘નમો કમલમ’ ની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયાને આ પુસ્તક સપ્રેમ ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું.
આ પુસ્તક આગામી સમયમાં ધર્મપ્રેમી જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
