Surendranagar Awas Yojana | સુરેન્દ્રનગર (Surendranagar) મહાનગરપાલિકા બન્યા બાદ પણ શહેરી વિસ્તારના લોકોને પાયાની સુવિધાઓ મેળવવા માટે વલખાં મારવા પડી રહ્યા છે.
શહેરમાં કરોડો રૂપિયાનું બજેટ (Budget) હોવા છતાં, રોડ-રસ્તા, નિયમિત પીવાનું પાણી (Drinking Water) અને સ્વચ્છતા (Cleanliness) જેવી પ્રાથમિક સુવિધાઓનો (Basic Amenities) મોટો અભાવ જોવા મળી રહ્યો છે. તંત્રની આ નિષ્ક્રિય કામગીરીને કારણે સ્થાનિક કરદાતાઓમાં ભારે રોષ અને અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે.

આવો જ એક ગંભીર કિસ્સો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipality) દ્વારા સંચાલિત આવાસ યોજનામાં (Awas Yojana) સામે આવ્યો છે. શહેરની ફિરદોષ સોસાયટી (Firdosh Society) નજીક આવાસ યોજના અંતર્ગત 4 માળના મકાનો (4 Storey Buildings) બનાવીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ફાળવવામાં આવ્યા છે.
જોકે, આ વિસ્તારમાં હાલ પીવાનું પૂરતું પાણી જ નથી મળી રહ્યું, જેના કારણે લોકોને મોંઘા ભાવે પાણી વેચાતું લેવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત, આખોય વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે, અને તંત્રના વાંકે સ્થાનિકો પોતે જ ગંદકી સાફ કરવા મજબૂર બન્યા છે.
આ સરકારી આવાસમાં હાલ અંદાજિત 200 થી વધુ પરિવારો (Families) વસવાટ કરે છે. પ્રાથમિક સુવિધાઓના આ ગંભીર અભાવ મુદ્દે ત્રસ્ત બનેલા સ્થાનિકોએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને (Government Officials) લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે.
સ્થાનિકોએ આ વિસ્તારમાં તાત્કાલિક પીવાનું પાણી પૂરું પાડવા તેમજ સ્વચ્છતા અને ભૂગર્ભ ડ્રેનેજ (Underground Drainage) લાઈનની પ્રોપર સાફ-સફાઈ કરાવવાની માંગ કરી છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા રહિશોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં તેમને આ પ્રાથમિક સુવિધાઓ નહીં મળે, તો તેઓ ઉગ્ર આંદોલનનો (Protest) માર્ગ અપનાવશે.
