Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

વઢવાણમાં જર્જરિત નર્મદા કેનાલોમાં ગાબડાં પડતા 50 થી વધુ ખેતરો બંજર, રિપેરિંગની માંગ

user 2 9 April 2026
વઢવાણમાં જર્જરિત નર્મદા કેનાલોમાં ગાબડાં પડતા 50 થી વધુ ખેતરો બંજર, રિપેરિંગની માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલો હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. કેનાલોમાં ઠેર-ઠેર ગાબડાં પડવાના કારણે પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખાસ કરીને કોઠારીયા ગામ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં મોટા ગાબડાં પડવાને લીધે આસપાસના 50 થી વધુ ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે, જેના પરિણામે ફળદ્રુપ જમીન બંજર બની ગઈ છે અને ખેડૂતો વાવેતર કરી શકતા નથી.

Join Our WhatsApp Group

સ્થાનિક ખેડૂતો છેલ્લા 1 વર્ષથી આ અંગે તંત્રને રજૂઆત કરી રહ્યા છે. અગાઉ અધિકારીઓ દ્વારા એપ્રિલ મહિનામાં રિપેરિંગ કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે કેનાલ તૂટવાને કારણે ઊભા પાકને નુકસાન થાય છે, જેનાથી મહેનત અને બિયારણનો ખર્ચ પણ માથે પડે છે. હાલમાં કેનાલમાં પાણી ચાલુ હોવા છતાં રિપેરિંગ શરૂ ન થતા ખેડૂતોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોએ માંગ કરી છે કે ભલે 2 મહિના સુધી કેનાલો બંધ રાખવી પડે, પરંતુ તેનું કાયમી અને મજબૂત રિપેરિંગ કરવામાં આવે. જો કેનાલો વ્યવસ્થિત રીતે રિપેર થશે તો જ ખેતરોમાં આવતો ભેજ અને પાણીના ભરાવાની સમસ્યા દૂર થશે. વઢવાણ તાલુકાના ખેડૂતોએ લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે આ કામગીરી હાથ ધરવા તાકીદ કરી છે જેથી આગામી સિઝનમાં પાકને બચાવી શકાય.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: રાજુ કરપડા ઓડિયો ક્લિપ વિવાદમાં આપ નેતા વિપુલ ઠાકોરની ધરપકડ
Next: સુરેન્દ્રનગર એટીવીટી સેન્ટરમાં અરજદારોની કતારો: ઇ-સાઇનના ધાંધિયા અને સ્ટાફની અછતથી જનતા પરેશાન

Related News

WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

User 3 20 May 2026
SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

User 3 20 May 2026
BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

User 3 20 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add