Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સેવાની સુવાસ: વઢવાણનું કોઠારીયા ગામ બન્યું ગોકુળિયું, વજા ભગતની 11મી પુણ્યતિથિએ ભવ્ય કથાનું આયોજન

user 2 5 April 2026
સેવાની સુવાસ: વઢવાણનું કોઠારીયા ગામ બન્યું ગોકુળિયું, વજા ભગતની 11મી પુણ્યતિથિએ ભવ્ય કથાનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું કોઠારીયા ગામ આજે સમગ્ર ગુજરાતમાં માનવતા અને પશુસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સ્વ. વજા ભગત દ્વારા શરૂ કરવામાં આવેલી અબોલ જીવોની સેવા આજે પણ રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ દ્વારા અવિરત ચાલી રહી છે.

આ ગામમાં 3000ની વસ્તી સામે 1000થી વધુ ગાયોની વિશાળ ગૌશાળા આવેલી છે. અહીં રોજ સવારે 3 વાગ્યાથી 70 જેટલી મહિલાઓ દ્વારા 20 મણ લોટના રોટલા તૈયાર કરી જરૂરિયાતમંદો, અંધજનો અને સાધુ-સંતો સુધી પહોંચાડવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં નાત-જાતના ભેદભાવ વગર દરરોજ 4000 લોકોને છાશ અને દર્દીઓને વિનામૂલ્યે દૂધનું વિતરણ કરવામાં આવે છે.

Join Our WhatsApp Group

વજા ભગતની 11મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી 11 એપ્રિલ 2026થી ગામમાં ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં પોથી યાત્રા, નરસિંહ પ્રાગટ્ય, રામ જન્મોત્સવ અને રુકમણી વિવાહ જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી થશે. કથા દરમિયાન દરરોજ 1 લાખથી વધુ લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે કોઠારીયા અને આજુબાજુના ગામોના 1500થી વધુ સ્વયંસેવકો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. અહીં કીડીથી લઈને કુંજર સુધી તમામની સંભાળ લેવામાં આવતી હોવાથી કોઠારીયા સાચા અર્થમાં ‘ગોકુળિયું ગામ’ બન્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચોટીલાના ગુંદા ગામે 13 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
Next: થાન કોર્ટનો મહત્વનો ચુકાદો: હદપારીના હુકમનો ભંગ કરનાર આરોપીને 1 વર્ષની કેદની સજા

Related News

WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

User 3 20 May 2026
SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

User 3 12 May 2026
VADH PANI CRISIS N

વઢવાણના ગુંદિયાળામાં જળ સંકટ: 15 દિવસથી પાણી કાપને પગલે ગ્રામજનોમાં ભારે રોષ

User 3 11 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add