આપણા દેશના લોકોની મહેનત અને પરસેવા થકી બનતી ચીજ વસ્તુઓ ખરીદો
સુરેન્દ્રનગર: દેશને આર્થિક રીતે વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી ‘આત્મનિર્ભર બનો, સ્વદેશી અપનાવો’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ અભિયાનને વધુ વેગ આપવા માટે આજે સુરેન્દ્રનગર સ્થિત નમો કમલમ કાર્યાલય ખાતે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપ પ્રદેશ કિસાન મોર્ચા મહામંત્રી અને આત્મનિર્ભર ભારત સૌરાષ્ટ્ર ના સહ ઇન્ચાર્જ હિરેનભાઇ હીરપરા પ્રદેશ ભાજપ અગ્રણી પ્રશાંતભાઇ વાળા જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિહ ચૌહાણ સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા, દસાડા ધારાસભ્ય પી કે પરમાર, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી સહીતના નેતાઓએ આ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે સંવાદ સાધ્યો હતો અને ‘ઘર ઘર સ્વદેશી’ અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. નેતાઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે, જેમાં દેશના પ્રત્યેક નાગરિકનો સહયોગ અનિવાર્ય છે.તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારવાથી દેશની આર્થિક સ્થિતિ વધુ સારી રીતે મજબૂત બનશે અને સ્થાનિક કારીગરો તેમજ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. આનાથી રોજગારીની નવી તકો પણ ઊભી થશે. પ્રેસ કોન્ફરન્સમાં નેતાઓએ લોકોને અપીલ કરી હતી કે તેઓ માત્ર ઉત્સવો દરમિયાન જ નહીં, પરંતુ રોજબરોજના જીવનમાં પણ વધુને વધુ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે. તેમણે આ અભિયાનને એક જન આંદોલન બનાવવાની હાકલ કરી હતી, જેના દ્વારા ભારતને વિશ્વની અગ્રણી આર્થિક શક્તિ બનાવવાનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય. આ ઝુંબેશ દ્વારા રાષ્ટ્રની આર્થિક પ્રગતિમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પક્ષનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગર નમો કમલમમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનનો પ્રારંભ#Surendranagar #Jagdishmakwana pic.twitter.com/MNHfYDhMFd
— Surendranagar Update (@Surendranagar74) October 8, 2025