Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં ૭૮મો હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દિવસ ઉત્સાહભેર ઉજવાયો

સુરેન્દ્રનગર: દર વર્ષની જેમ, ૬ઠ્ઠી ડિસેમ્બરે ૭૮માં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ નિમિત્તે જિલ્લા હોમગાર્ડઝ કચેરી, સુરેન્દ્રનગર ખાતે શહેર યુનિટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઈ બી. પંડયા દ્વારા ધ્વજ વંદનથી કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત, શહેરમાં રૂટ માર્ચ અને બાઇક રેલીનું આયોજન પણ કરાયું હતું. સામાજિક જવાબદારીના ભાગરૂપે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજાયા હતા, જે હોમગાર્ડઝના જવાનોની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ ભવ્ય કાર્યક્રમમાં સુરેન્દ્રનગર શહેર યુનિટના કુલ ૨૦૦ હોમગાર્ડઝ સભ્યોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભૂતપૂર્વ જિલ્લા કમાન્ડન્ટ લલિતભાઈ ઠાકર, સ્ટાફ ઓફિસર પ્રદીપસિંહ પી. રાણા (પી.આર.ઓ.), કંપની કમાન્ડર કિશોરસિંહ જી. પરમાર, હેડ ક્લાર્ક વિજયભાઈ એસ. પરમાર, સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રકટર ચંદ્રસિંહ એચ. ડોડીયા, તેમજ એન.સી.ઓઝ અને મહિલા હોમગાર્ડઝ સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આજના દિવસે જીલ્લાકક્ષા/ઝોનકક્ષા હોમગાર્ડઝ રમતોત્સવમાં વિજેતા બનેલા જવાનોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાના તમામ તાલુકા યુનિટોમાં પણ રૂટ માર્ચ, પ્રભાતફેરી, ધ્વજ વંદન, વૃક્ષારોપણ, સફાઇ અભિયાન જેવા સેવા કાર્યો યોજવામાં આવ્યા હતા. જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઈ બી. પંડયાએ તમામ યુનિટ અધિકારીઓનો આ સફળ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago