બોટાદ બ્રાન્ચની અને મોરબી બ્રાન્ચની કેનાલ તંત્ર દ્વારા હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવી રહી છે.
જેને લઈને ખેડૂતોના ખેતરોમાં ભેજ લાગવાથી વાવેતરને નુકસાન થવાના એંધાણ.
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલો હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના સિંચાઈ માટે અને પિયત માટે પાણી મળી રહે તેવા આશ્રય સાથે નર્મદાની કેનાલોમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને નર્મદાની કેનાલો બે કાંઠે વહી રહી છે ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણી લેવામાં તો આવી રહ્યું છે પરંતુ કેનાલની બાજુમાં આવેલા ખેતરો છે તેને નુકસાન જઈ રહ્યું છે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ખેડૂતોની કીમતી જમીન સુરેન્દ્રનગર જિલ્લામાં બજર બની રહી છે બોટાદ બ્રાન્ચની અને મોરબી બ્રાન્ચની નર્મદાની કેનાલો છે ત્યાં તંત્ર દ્વારા હાઇલેવલ ઉપર પાણી ફેલાવવામાં આવી રહ્યું હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં ભેજ લાગવાની ઘટનાઓ પણ બની રહી છે જેને લઇને ખેડૂતોના જીરું ઘઉં વરિયાળી ઇસબગુલ ચણા જેવા પાકોના વાવેતરને નુકસાની ભીતિ પણ સર્જાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા રીપેરીંગ ના નામે ટેન્ડરો બહાર પાડી અને ખર્ચ કરવામાં આવ્યો પરંતુ તે છતાં પણ હાઈ લેવલ ઉપર કેનાલો ચાલતી હોવાના ભેજ લાગવાની ઘટનાઓ બની રહી છે જેને લઈને ખેડૂતો દ્વારા નર્મદા વિભાગ પાસે માંગ કરવામાં આવી છે કે મૂળ સપાટી સુધી નર્મદાની કેનાલમાં પાણી શરૂ કરવામાં અને ચાલુ રાખવામાં આવે જેથી ખેડૂતોના ખેતરમાં ભેજ આવતો અટકાવી શકાય..