સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિકાસના કામો અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર-દુધરેજ-વણા-માલવણ-પાટડી-દસાડાથી બેચરાજી (Becharaji) સુધીના ફોર લેન (Four Lane) રોડની કામગીરીમાં મોટો વિલંબ જોવા મળ્યો છે. આ પ્રોજેક્ટ માટે આશિષ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ (Ashish Infracon Pvt Ltd) કંપનીને વર્ક ઓર્ડર (Work Order) આપવામાં આવ્યો હતો, જેની સમય મર્યાદા 12 ફેબ્રુઆરી 2027 ના રોજ પૂર્ણ થાય છે. નિયમ મુજબ 11 મહિનાના સમયગાળામાં 45% કામ પૂર્ણ થવું જોઈતું હતું, પરંતુ તેના બદલે માત્ર 07% જેટલી જ કામગીરી થઈ છે.
આ ગંભીર બેદરકારીને પગલે સુરેન્દ્રનગર માર્ગ અને મકાન વિભાગ (Road and Building Department) ના કાર્યપાલક ઇજનેર (Executive Engineer) દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સીને કડક નોટિસ (Notice) ફટકારવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કામગીરીની ઝડપ વધારવામાં નહીં આવે તો ટેન્ડર ક્લોઝ (Tender Close) કરવાની ફરજ પડશે. ટેન્ડર ડોક્યુમેન્ટની શરતો અને માઈલસ્ટોન (Milestone) મુજબ કામ ન થવા બદલ ઉભી થનારી તમામ કાનૂની અને આર્થિક જવાબદારી એજન્સીની રહેશે તેવું પણ લેખિતમાં જણાવવામાં આવ્યું છે.
રોડનું કામ કાચબા ગતિએ ચાલવાને કારણે હાઈવે પર ઠેર-ઠેર ખોદકામ કરવામાં આવ્યું છે, જેના લીધે અકસ્માતોની (Accidents) સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થયો છે. ધૂળની ડમરીઓ અને અધૂરા રસ્તાના કારણે સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર (Business) પર પણ માઠી અસર પડી રહી છે. હાલમાં જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ ફોર લેન હાઈવેની કામગીરી સ્પેસિફિકેશન (Specification) મુજબ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.