Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

કચ્છના નાના રણમાં અગરિયાઓના નુકસાનીનો પ્રથમવાર સર્વે હાથ ધરાશે

user 2 20 March 2026
કચ્છના નાના રણમાં અગરિયાઓના નુકસાનીનો પ્રથમવાર સર્વે હાથ ધરાશે

નવી પેનલો મળશે કે કેમ તે અંગે હજુ અનિશ્ચિતતા સબસિડીવાળી ૧૪૦૦ પેનલનો જ થશે સર્વે અન્ય ૧૧૦૦ અગરિયાઓ સહાયથી વંચિત રહેવાની ભીતિ મીઠાના નુકસાન મુદ્દે સરકારનું મૌન કચ્છના નાના રણમાં ૧૯મી માર્ચે ત્રાટકેલા વાવાઝોડાએ અગરિયાઓના જીવનમાં જે વંટોળ સર્જ્યો હતો, તેના નુકસાનની વિગતો મેળવવા સરકાર પ્રથમવખત સત્તાવાર સર્વે હાથ ધરવા જઈ રહી છે. જોકે, સરકાર દ્વારા સબસિડીવાળી ૧૪૦૦ પેનલનો જ થશે સર્વે હાથ ધરાશે. જેના કારણે અન્ય ૧૧૦૦ અગરિયાઓ સહાયથી વંચિત રહેવાની ભીતિ સેવાઇ રહી છે. તેમજ મીઠાના નુકસાન મુદ્દે સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી.

સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં ત્રાટકેલા મીની વાવાઝોડા અને ભારે પવનને કારણે રણકાંઠાના અગરિયાઓને વ્યાપક આથક ફટકો પડયો છે. ખાસ કરીને રણમાં મીઠું પકવવા માટે ઉપયોગમાં લેવાતી સોલાર પેનલો અને શ્રમિકોના ઝૂંપડાઓને ભારે નુકસાન થયું છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારની રજૂઆત બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માત્ર સોલાર પેનલોના નુકસાનનો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Group

તંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ, જે અગરિયાઓને સરકારની સબસિડી હેઠળ સોલાર પેનલો ફાળવવામાં આવી હતી, તેવા અંદાજે ૧૪૦૦ અગરિયાઓના યુનિટોની જ તપાસ કરવામાં આવશે. આ સર્વે રિપોર્ટ તૈયાર કરી સરકારમાં રજૂ કરાશે અને ત્યારબાદ જ નવી પેનલો આપવી કે મરામત કરવી તે અંગે નિર્ણય લેવાશે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે રણમાં કુલ ૨૫૦૦થી વધુ અગરિયાઓ કાર્યરત છે, જેમાંથી ૧૧૦૦ જેટલા અગરિયાઓ કે જેમણે પોતાની રીતે વ્યવસ્થા કરી છે, તેમના નુકસાનનો કોઈ સર્વે કરવામાં આવશે નહીં.

બીજી તરફ, વાવાઝોડા અને વરસાદને કારણે અગરિયાઓના પાટામાં માટી ભળી જતાં મીઠાની ગુણવત્તા બગડી છે અને લાખોનું મીઠું ધોવાઈ ગયું છે, પરંતુ તંત્ર દ્વારા મીઠાના નુકસાન અંગે કોઈ સર્વેની તજવીજ હાથ ધરવામાં આવી નથી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના બે અધિકારીઓની ટીમ બનાવીને કામગીરી શરૃ કરવાની વાત વહેતી થતા અગરિયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અગરિયાઓનું માનવું છે કે આ સર્વે માત્ર કાગળ પરની કાર્યવાહી ન બની રહે અને ખરેખર નુકસાનનું વળતર મળે તે જરૃરી છે.

માવઠાથી ૫ લાખ ટન ઉત્પાદન ઘટવાની ભીતિ રણમાં જ્યારે મીઠું પકવવા માટે પ્રખર તડકાની જરૃર છે, ત્યારે જ ત્રાટકેલા વાવાઝોડા અને માવઠાએ અગરિયાઓની મહેનત પર પાણી ફેરવ્યું છે. ભારે પવનને કારણે તૈયાર મીઠાના પાટામાં માટી ભળી જતાં મીઠું કાળું પડી ગયું છે, જેનાથી તેની ગુણવત્તા બગડી છે. આ વર્ષે ઉત્પાદનમાં અંદાજે ૫ લાખ ટનનો ઘટાડો થવાની શક્યતા છે. આથક પાયમાલીના આરે ઉભેલા અગરિયાઓએ હવે સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજની માંગ કરી છે.

અગરિયાઓ માટે રાહત પેકેજની માંગ ધ્રાંગધ્રા અને પાટડીના રણમાં ૪૨ ડિગ્રી તાપમાનમાં કાળી મજૂરી કરી મીઠું પકવતા ૨૫૦૦થી વધુ અગરિયા પરિવારો પર વાવાઝોડા અને વરસાદે આફત આણી છે. તૈયાર મીઠાના પાક પર પાણી ફરી વળતા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકાર સમક્ષ નુકસાન વળતર પેકેજની માંગ કરી છે. ૧૦,૦૦૦થી વધુ લોકોના પરિવારના જીવન નિર્વાહનો પ્રશ્ન ઊભો થયો હોવાથી, સહાયની રકમ સીધી અગરિયાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે તેવી તેમણે આગ્રહભરી રજૂઆત કરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: લખતર: તલસાણા ગામેથી ગુમ થયેલ મૂક-બધિર યુવતીનું પોલીસે પરિવાર સાથે કરાવ્યું મિલન
Next: જોરાવરનગરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, 5 કોમ્યુનિટી હોલના નવીનીકરણની ધારાસભ્યની જાહેરાત

Related News

Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

user 2 22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

user 2 22 March 2026
Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add