સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામમાં બાપ-દાદાના સમયથી ચાલી આવતા પારિવારિક મનદુઃખમાં (Family Dispute) લોહિયાળ ખેલ ખેલાયો છે. ત્રણ કૌટુંબિક ભાઈઓએ ભેગા મળીને પોતાના જ પિતરાઈ ભાઈ પર છરી (Knife) વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ હિંસક હુમલામાં (Violent Attack) યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ઈશ્વરીયા ગામના ૩૫ વર્ષીય રોહિતભાઈ જીલાભાઈ કણસાગરા પર તેમના જ કૌટુંબિક ભાઈઓ ગોવિંદભાઈ જીવણભાઈ, પપ્પુભાઈ કાનાભાઈ અને સંજયભાઈ જીવણભાઈએ જૂની અદાવતને (Old Enmity) લઈ હુમલો કર્યો હતો. ઝપાઝપી દરમિયાન આરોપીઓએ રોહિતભાઈને પીઠના ભાગે છરીના ઘા ઝીંકી દેતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત યુવાનને સારવાર (Treatment) અર્થે સાયલા સરકારી હોસ્પિટલ (Government Hospital) ખસેડાયા હતા, જ્યાં તેમના પિતા જીલાભાઈએ MLC (Medico-Legal Case) હેઠળ વિગતો નોંધાવી હતી. હાલમાં સાયલા પોલીસ (Sayla Police) આ મામલે ગુનો નોંધી વધુ તપાસ (Investigation) ચલાવી રહી છે.
