પુલનું સમારકામ ચાલી રહ્યું છે પરંતુ બે કિલોમીટરનો ધક્કો ન ખાવા માટે યાત્રિકો પુલ ઉપરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે..
સુરેન્દ્રનગર દુધરેજ નર્મદાની કેનાલ ઉપર નો પુલ છેલ્લા ચાર મહિનાથી બંધ કરવામાં આવ્યો છે હાલમાં તેનું સ્મારકામ ચાલુ છે તંત્ર દ્વારા એક કરોડથી વધુના ખર્ચે આ પુલનું સમારકામ શરૂ કરવામાં આવી રહી છે. અને હાલની પરિસ્થિતિમાં 90% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે ટૂંક સમયમાં પુલ ખુલ્લો મુકવાની તૈયારી પણ તંત્ર દ્વારા દેખાડવામાં આવી છે.

પરંતુ પુલ બંધ કરવામાં આવતા બનાવવામાં આવેલું દ્રાઇવર્ઝન ખુબ ખરાબ અને દયનીય હાલતમાં છે અને આ ડ્રાઇવર્ઝન 2 કિમિ સુધીનું છે જેના ઉપર ખાડાઓ અને કાચા માર્ગ હોવાના કારણે સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે ને આ સંદર્ભે વારંવાર તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે તે છતાં પણ કોઈ રસ્તામાં સુધારો કરવામાં નથી આવ્યો..
ત્યારે ફૂલ શરૂ ન થતા હાલમાં જીવના જોખમે પુલનું કામ ચાલી રહ્યું છે તે છતાં પણ યાત્રિકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે 2 કિમિ નું ડ્રાઈવર્ઝન કાપવા કરતા વધુ જીવ જોખમમાં મૂકી રહ્યા છે તંત્ર દ્વારા આ પુલ બનાવી અને ટૂંક સમયમાં ખુલ્લો મુકવામાં આવે તે જરૂરી છે મોટી કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે તે પણ સવાલ છે..
પુલનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે અને જીવના જોખમે પસાર થતાં યાત્રિકોને અટકાવવામાં આવે તે જરૂરી છે કારણ કે નીચેથી સૌરાષ્ટ્ર ભરમાં પીવાના પાણી પૂરું પાડતી નર્મદાની કેનાલ પસાર થાય છે જો દુર્ઘટના સર્જાશે તો અનેક લોકોના જીવ જઈ શકે તેવી પરિસ્થિતિ છે તો તંત્ર દ્વારા પણ આ મુદ્દે નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે..
