સુરેન્દ્રનગર શહેરના જોરાવનગર ખાતે સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દ્વારા સમાજસેવાના ઉમદા હેતુથી 27th સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલ અવસરે કુલ 6 નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા લગ્નગ્રંથિથી જોડાઈને પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં વઢવાણના ધારાસભ્ય (MLA) જગદીશભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ (BJP President) હાર્દિકભાઈ ટમાલીયાએ ખાસ ઉપસ્થિતિ આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ સેવાકીય પરંપરાના 27 years પૂર્ણ થતા મંડળની કામગીરીને મહાનુભાવોએ બિરદાવી હતી. આ સમૂહ લગ્નમાં મુખ્ય યજમાન તરીકે છોટાલાલ વિઠ્ઠલદાસ પિત્રોડા પરિવારે સેવા આપી હતી અને દીકરીઓને વિશેષ ભેટ અર્પણ કરી હતી. ઉદારદિલ દાતાઓ દ્વારા કરિયાવરમાં ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી, જેથી નવદંપતીઓ આર્થિક બોજ વગર સંસાર શરૂ કરી શકે.
નોંધનીય છે કે જોરાવનગર લુહાર સુથાર જ્ઞાતિ મંડળ છેલ્લા 27 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યું છે અને અત્યાર સુધીમાં કુલ 290 નવદંપતીઓ આ મંડળના માધ્યમથી લગ્નગ્રંથિએ જોડાયા છે. આ પ્રસંગને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ, મંત્રી, ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
