દર વર્ષે રીનોવેશન ના નામે કેનાલો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે..
તે છતાં પણ કેનાલોમાં ખડ ઊગી નીકળ્યું છે અને લીલનું પણ સામ્રાજ્ય..
સૌરાષ્ટ્ર ભરને પીવાનું પાણી પૂરું પાડતો ધોળી ધજા ડેમમાં સુરેન્દ્રનગરના દુધરેજ ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલ મારફતે પીવાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે પરંતુ મુખ્ય કેનાલ ગણવામાં આવતી હોવા છતાં પણ આ કેનાલમાં અને ખડ અને માટીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને કેનાલ ઉપર ગાબડા પણ પડી જવા પામ્યા છે. દર વર્ષે કેનાલ રીપેરીંગ પાછળ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે પરંતુ તે છતાં પણ કેનાલો જર્જરીત બનતી જતી હોય તેવું લાગી રહ્યું છે

ત્યારે દુધરેજ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદાની કેનાલમાં પણ અનેક જગ્યાઓ ઉપર ગાબડાઓ પડી ગયા છે અને બીજી તરફ બફ નળીઓ ફીટ કરવા માટે કેનાલમાં ગાબડા પાડી અને પાઇપો નાખવામાં આવ્યા છે જેને લઇને તંત્રની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે લીલખળ અને માટીના સામ્રાજ્ય બાદ હવે કેનાલોમાં ગાબડાઓ પડતા કેનાલ જર્જરિત બની ગઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે અને તાત્કાલિક રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે..