દસાડા તાલુકાના એક ગામમાં રહેતી પરણિતા થોડા દિવસો પહેલા કુદરતી હાજતે ગામની સીમમાં ગઈ હતી. તે દરમિયાન જીવણભાઈ ઉર્ફે લાલાભાઈ નશાભાઈ ઠાકોરે પરણિતાની એકલતાનો લાભ લઈ પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ પરણિતાને બાઈક પર બેસાડી ગામની સીમમાં લઈ જઈ જાતિ પ્રત્યે અપમાનિત કરી, ઢીકા પાટુનો મારમાર્યો હતો અને પરણિતાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે ભોગ બનનાર પરણિતાએ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.