OBC સમાજને અનામતમાં વધારો કરવા માંગ..
ભાજપ કૉંગ્રેસ અને આપ ના OBC સમાજના આગેવાનો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં થયા એકત્રિત..

144 જાતિઓ OBC અનામતમાં આવી રહી છે..
જેને 27% અનામત આપવામાં આવી રહી છે..
ગુજરાતમાં 50% થી વધુ OBCની વસ્તી હોવાની લેખિત રજુઆત..
અનામતમાં વધારો કરવામાં આવે નહિતર આંદોલનની ચીમકી ઉચારવા માં આવી..
સુરેન્દ્રનગરમાં ઓબીસી કેટેગરીની અનામતમાં વધારાની માંગ સાથે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક મંચ ઉપર આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે જેની જેટલી આબાદી કેટલી તેની ભાગીદારી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સમાજને વસ્તીના પ્રમાણમાં તાત્કાલિક ધોરણે 54% જેટલી અનામત આપવાની માંગ કરવામાં આવી છે અને આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી અને મુખ્યમંત્રી સુધી આ આવેદનપત્ર પહોંચાડવાની માંગ છે તે કરવામાં આવી છે.
હાલમાં ગુજરાત રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 27% અનામત રાખવામાં આવ્યું છે જ્યારે અનામત લાગુ કરવામાં આવી ત્યારે ઓબીસીમાં 82 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવતો હતો પરંતુ તેમાં ધીમે ધીમે વધારો કરતા નવી 64 જેટલી જાતિઓ ઉમેરવામાં આવી હતી અને હાલના તબક્કામાં 140 થી વધુ જાતિઓને ઓબીસી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવી છે ત્યારે હાલના તબક્કામાં તામિલનાડુમાં ઓબીસી ની વસ્તી 50% છે તેલંગાણામાં 42% છે કેરલમાં 30 % છે આંધ્ર પ્રદેશમાં 29% છે અને 1931 ની વસ્તી ગણતરી મુજબ આ રાજ્યોમાં ઓબીસીની 52% વસ્તી ધ્યાનમાં લેવામાં આવી હતી.
આ સમગ્ર બાબતને લઈ અને ઓબીસી સમાજના આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એક મંચ ઉપર આવ્યા છે અને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા છે અને જિલ્લા કલેકટરને મુખ્યમંત્રી મારફતે પત્ર લખી અને રજૂઆત કરી અને ઓબીસી કેટેગરીમાં વધારો કરવાની માંગ સાથે 27% ના સ્થાને 54% કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે જો આગામી દિવસોમાં માંગ સંતોષવામાં નહીં આવે તો ઓબીસી સમાજ અને જાતિઓ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવો પડશે તેવી પણ ચીમકીઓ આપવામાં આવી છે.
ઓબીસી આયોગ ને કાનૂની દરજ્જો આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને જાતિ આધારિત વસ્તી ગણતરી ઝડપથી પૂરી કરી અને ત્યારબાદ ઓબીસી વસ્તીની ટકાવારી મુજબ કાયમી ધોરણે અનામત આપવાની માંગ પણ કરવામાં આવી છે અલગ અલગ 18 જેટલી માંગો છે તે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર સમક્ષ મૂકવામાં આવી છે અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચાડવાની માંગ કરવામાં આવી છે અને તાત્કાલિક ઓબીસીની જાતિઓમાં 54 ટકાની અનામત આપવાની માંગ પણ કરાઈ છે.