વઢવાણના પૂર્વ ધારાસભ્યશ્રી ધનરાજભાઈ કેલાના સુપુત્ર અને સુરેન્દ્રનગર જીલ્લાના અગ્રણી ઉદ્યોગપતિ નરેશભાઈ કેલા આજે 43 વર્ષ પૂર્ણ કરી 44 વર્ષમાં પ્રવેશ. બાલ્યકાળ થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોનું જેમના જીવનમાં સિંચન થયું છે એવા નરેશભાઈ અનેકવિધ સામાજીક જવાબદારીઓનું વહન કરી આજે કેન્દ્ર સરકારની અતિ મહત્વપૂર્ણ કહી શકાય તેવી મહારત્ન કંપની પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લી. ના ડિરેક્ટર તરીકે અને ગુજરાત સરકારની રાજ્યસ્તરીય ફી રિવિઝન કમિટીના મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે. તદુપરાંત સુરેન્દ્રનગર જીલ્લાની વ્યાપાર અને ઉદ્યોગની અગ્રગણ્ય સંસ્થા ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે જીલ્લાના વેપાર અને ઉદ્યોગના વિકાસ માટે અવિરત પ્રયાસો કરી રહ્યાં છે. સહકારની ભાવના જેમના રગે રગ માં વણાયેલ છે તેવા નરેશભાઈ રાજકોટ નાગરિક સહકારી બેંકની સુરેન્દ્રનગર શાખાના કન્વીનર તરીકે સતત નાના માણસોના આર્થિક ઉત્કર્ષ માટે કાર્યરત છે. માત્ર જાહેરજીવનમાં જ નહીં પરંતું ઉદ્યોગ ક્ષેત્રે પણ તેમના પિતા ધનરાજભાઈનો વારસો આગળ વધારી ધનરાજ સુગર્સ પ્રા. લી. ની નામના દેશભરમાં અને વિશ્વના 50થી વધુ દેશોમાં ફેલાવીને ધનરાજ સુગર્સને ગુણવત્તા અને વિશ્વાસનું પ્રતિક બનાવ્યું છે. સંયુક્ત પરિવારને જ પોતાની સૌથી મોટી તાકાત માનતા નરેશભાઈ વિનમ્રતા પૂર્વક પોતાની સફળતાનો શ્રેય પરિવારના સપોર્ટ અને વડીલોના આશીર્વાદને આપે છે.

ગૌસેવા અને દરિદ્ર નારાયણની સેવા માટે હરહંમેશ તત્પર નરેશભાઈ પોતે સ્વાદિષ્ટ ભોજન પણ બનાવી જાણે છે અને એક ઉમદા કવિ પણ છે. સાંજ સમાચાર પરિવાર નરેશભાઈને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની શુભેચ્છાઓ સાથે જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. આજના દિવસે સહું મિત્રો અને શુભેચ્છકો નરેશભાઈ કેલાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.