વિચરતી જાતિના જરૂરિયાત મંદ લોકોને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈનું વિતરણ કરાયુ.
દુધરેજ વડવાળા મંદિરના મુકુંદરામબાપુ, ભાવના ચેરીટેબલ ટ્રસ્ટના માધવી હેમલ શાહ તેમજ અન્ય દાત્તાઓના સહયોગથી દુધરેજ વહાણવટીનગર,ચૂનાનો ભઠ્ઠો, સોનાપુર રોડ, કૃષ્ણનગર પાણીની ટાંકી, જૂની હાઉસિંગ બોર્ડમાં રહેતા વિચરતી અને વિમુકત જાતિઓના પરિવારો તેમજ પાથરણા પાથરીને પેટીયુ રળતા પરિવારના ઘરે ઘરે જઈને મીઠાઈનું વિતરણ વિચરતા સમુદાય સમર્થન મંચ ના હર્ષદ વ્યાસ દ્વારા કરાયું હતું. અને આ પરિવારોના ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયત્ન કર્યો હતો.