સુરેન્દ્રનગર જિલ્લામાં આગ (Fire) લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં (Area) રહેણાંક મકાનની બાજુમાં આવેલા ઝાડ અને બાવળમાં આગ લાગી હતી.
આ અંગે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડનો (Fire Brigade) સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતા જ ફાયર ફાઈટરોની ટીમ (Team) તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને તેને સંપૂર્ણ કાબુમાં (Control) લીધી હતી.
જોકે, સદનસીબે આ આગના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી અને અન્ય કોઈ જાનહાની પણ સર્જાઈ નથી, જેને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
