Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

વઢવાણની ગેબનશા પીર દરગાહમાં હિન્દુ પદયાત્રીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ

user 2 29 March 2026
વઢવાણની ગેબનશા પીર દરગાહમાં હિન્દુ પદયાત્રીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ

સુરેન્દ્રનગરના વઢવાણમાં મુસ્લિમ સિપાઈ સમાજ દ્વારા કોમી એકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. કડીના ખાત્રજથી પગપાળા સંઘ લઈને ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જઈ રહેલા 100 થી વધુ પદયાત્રીઓ માટે વઢવાણની ગેબનશા પીર દરગાહના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા.

રસ્તામાં રહેવા કે જમવાની પૂરતી સગવડ ન હોવાથી સંઘના સંચાલકોએ મુસ્લિમ સમાજના આગેવાનોનો સંપર્ક કર્યો હતો, જેના પ્રતિસાદરૂપે સિપાઈ સમાજે દરગાહનું આખું કમ્પાઉન્ડ અને વાડી પદયાત્રીઓ માટે ખાલી કરી આપી હતી.

Join Our WhatsApp Group

આ કેમ્પમાં યાત્રિકો માટે માત્ર રહેવા અને આરામની જ નહીં, પરંતુ પૌષ્ટિક ભોજન અને જરૂરી મેડિકલ સુવિધાઓ પણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી. મુસ્લિમ સમાજના આ ઉમદા કાર્યથી પ્રભાવિત થઈને પદયાત્રીઓએ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સમાજના આગેવાનોએ નિર્ણય લીધો છે કે આગામી સમયમાં પણ ચોટીલા તરફ જતા તમામ પદયાત્રી સંઘો માટે ગેબનશા પીર દરગાહનું કેમ્પસ ખુલ્લું રહેશે.

વઢવાણના આ કિસ્સાએ સાબિત કર્યું છે કે માનવતા અને ભાઈચારો કોઈપણ ધર્મથી ઉપર છે. સોશિયલ મીડિયામાં પણ આ ભગીરથ કાર્યની સરાહના થઈ રહી છે અને ઝાલાવાડની અખંડિતતાનો સંદેશ દેશભરમાં ગુંજી રહ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: PM મોદીએ ‘મન કી બાત’માં ધ્રાંગધ્રાના ભરાડા ગામના પાયલબેન મુંજપરાના સેવાકાર્યની લીધી નોંધ
Next: ધ્રાંગધ્રામાં યુવકે સગીરાને ધમકી આપી દુષ્કર્મ આચર્યું

Related News

WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

User 3 20 May 2026
SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

User 3 20 May 2026
BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

User 3 20 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add