સુરેન્દ્રનગરમાં વિવિધ પ્રકારના કેન્સર પીડીતો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

પ્રજાને સુવિધાઓ આપવામા ધારાસભ્ય અવ્વલ રહ્યા સાથોસાથ આરોગ્યની પણ ચિંતા કરી

સુરેન્દ્રનગર : મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ અને અમદાવાદની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાના સહયોગથી નિ:શુલ્ક કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં 250થી વધુ બહેનો અને ભાઈઓએ કેન્સરની તપાસ માટે એડવાન્સ રજીસ્ટ્રેશન અને સ્થળ પર આવીને નામ લખાવીને ચેકઅપ કરાવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ કેન્સર હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર શ્રી શશાંક પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે નિષ્ણાંત ડોક્ટરોની ટીમે આ કેમ્પમાં દર્દીઓ ને તપાસ્યા હતા.
કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોને નિ:શુલ્ક તપાસ ઉપલબ્ધ કરાવવાનો હતો જો કોઈ વ્યક્તિમાં શંકાસ્પદ કે કેન્સરના દર્દી જેવું લક્ષણ જણાશે, તો તેમને અમદાવાદ ખાતે આયુષ્માન કાર્ડના માધ્યમથી નિ:શુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ડૉ. શશાંક પંડ્યા અને તેમની સમગ્ર ટીમને સુરેન્દ્રનગર જિલ્લાને પસંદ કરીને આ કેન્સરનો નિ:શુલ્ક કેમ્પ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો છે.
આર.ટી.ઈ કેમ્પમાં જિલ્લાના કલેક્ટર ડૉ. રાજેન્દ્ર એમ. પટેલ, એસ.પી. પ્રેમસુખ ડેલુ, કમિશનર નવનાથ ગવ્હાણે મહામંત્રી હાર્દિકભાઈ ટમાલીયા તેમજ પાર્ટીના સૌ પદાધિઑકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.