‘ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ’ પ્રથમ દિવસે હજારો લોકોએ મુલાકાત અને ખરીદી કરી

સુરેન્દ્રનગર: વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા મેળાનું મેદાન, ખાતે તા. ૧૨, ૧૩ અને ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ત્રિ-દિવસીય ‘ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ’ સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આજે આ મેળાને મંત્રી કલેક્ટર ધારાસભ્ય કમિશ્નર સહીતનાએ ખુલ્લો મુકવામા આવ્યો હતો મેળામાં સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી ગૃહ સુશોભન, ખાદ્ય સામગ્રી, વસ્ત્રો, માટીકલા અને કાષ્ઠકલા સહિતની વિવિધ હસ્તકલાની વસ્તુઓના ૭૦થી વધુ સ્ટોલ ઉભા કરાયા છે.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે અતુલ્ય વારસોનું વિશેષ પ્રકાશન “વારસે મઢ્યું વઢવાણ” નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

ખરીદીના આકર્ષણની સાથે ત્રણેય દિવસ દરમિયાન દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મણીયારો રાસ, સીદી ધમાલ નૃત્ય, હુડો રાસ, લોક ડાયરો જેવા કાર્યક્રમો દ્વારા ઝાલાવાડની સમૃદ્ધ સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવશે.
