મુસાફરોના વારંવાર ખીચ્ચાં કપાય છે અને વારંવાર બસ સ્ટેન્ડ ની અંદર ચોરીની ઘટનાઓ બને છે સિક્યુરિટી ની નિમણૂક કરી અને સીસીટીવી કેમેરાઓ લગાવવા માંગ.
સુરેન્દ્રનગર નું એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ બનાવવાનો તંત્રનો દાવો હતો ત્યારે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં બન્યું ત્યારથી વિવાદ વકરતો જઈ રહ્યો છે જેમાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું ત્યારે સીસીટીવી કેમેરાઓ નથી લગાવવામાં આવ્યા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આવેલી તમામ દુકાનો તમામ કારખાનાઓ અને તમામ ઔદ્યોગિક એકમોમાં સીસીટીવી કેમેરાઓ લગાવવા ફરજિયાત છે અને તંત્ર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરના બસ સ્ટેન્ડમાં જ સીસીટીવી કેમેરા નો અભાવ છે.
તાજેતરમાં જ મહિલાના પાંચ તોલા સોનાના દાગીના અને રોકડ રકમ ગુમ થઈ છે સીસીટીવી ન હોવાના કારણે આ ચોરીની ઘટના માટે ના ડિટેકશન માટે પોલીસને પડકાર જનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરાઓ લગાવવાની માંગ કરવામાં આવી છે પેસેન્જર અને ભેગા કરી અને ત્યારબાદ વિરોધ પક્ષના નેતાઓ દ્વારા સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરાઓ લગાવવાની માંગ કરવામાં આવી છે અને બસ સ્ટેન્ડમાં આવતા પેસેન્જરની સુરક્ષા માટે સિક્યુરિટી તેમજ અન્ય વ્યવસ્થા કરવા પણ એસટી તંત્રને રજૂઆત કરવામાં આવી છે..