શ્રી સમસ્ત સતવારા સમાજ શૈક્ષણિક યુવા મંડળ ખોડુ દ્વારા નવમો ઈનામ વિતરણ સમારોહ યોજાયો
સુરેન્દ્રનગર: ખોડુ ગામે સમસ્ત સતવારા સમાજ શૈક્ષણિક યુવા મંડળ દ્વારા સમાજની ભોજનશાળા ખાતે નવમા ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણના મહત્વને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ શુભ પ્રસંગે સમસ્ત સતવારા સમાજ દ્વારા સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ એકસાથે ભોજનનો લાભ લીધો હતો.
કાર્યક્રમમાં સમાજના વિકાસમાં યોગદાન આપનાર ભરતભાઈ પરમાર, હરેશભાઈ ડાભી, શંકરભાઈ દલવાડી તેમજ અન્ય મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં સમાજના આગેવાનો, ગ્રામજનો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ પ્રેમી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આમ, યુવા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને એકતાનો સંદેશો આપ્યો છે.