Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

વઢવાણ હેરિટેજ સિટીની પૌરાણિક ઇમારતો બની ખંડેર

jeet 11 November 2025
Untitled design_20251111_073834_0000

જાળવણીના અભાવે વઢવાણ ફરતે આવેલો ઐતિહાસિક ગઢ તૂટી રહ્યો છે..

આ ઉપરાંત ઐતિહાસિક ઈમારતો પણ જાળવણીના અભાવે બની રહી છે જર્જરિત..

Join Our WhatsApp Group

વઢવાણમાં આવેલી વાવો દરવાજાઓ અને ઐતિહાસિક મંદિરો પણ બની ગયા છે ખંડેર..

વઢવાણ એક ઐતિહાસિક ગામ તરીકે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રસ્થાપિત થયેલું છે જેમાં વઢવાણમાં બનાવવામાં આવેલો પૌરાણિક કિલ્લો અલગ અલગ પ્રકારની પૌરાણિક વાવો ઐતિહાસિક ઇમારતો અને વઢવાણ ફરતે આવેલ ગઢ અને ઐતિહાસિક મંદિરો નો વિશાળ વારસો વઢવાણ શહેર ધરાવી રહ્યું છે પરંતુ તેની જાળવણીના અભાવના કારણે હાલમાં રાજા રજવાડાઓ દ્વારા બંધાવવામાં આવેલા ઐતિહાસિક ઇમારતો છે તે જર્જરીત બની જઈ રહી છે અને ઐતિહાસિક વારસાની જાળવણી કરવાની માંગ હવે ઉગ્ર બનતી જઈ રહી છે.

વઢવાણ ફરતે ગઢ આવેલો છે એક સમયે વઢવાણની રક્ષા માટે આ ગઢનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ ગઢ ઉપર ઇમારતો ઊભી કરી નાખવામાં આવી છે તો બીજી તરફ જે સ્થળે ગઢ છે ત્યાં ગઢના પથરા તૂટી ગયેલી હાલતમાં છે તેના રીનોવેશન પાછળ વિચારણા કરવામાં આવે તે જરૂરી છે કારણ કે સૌથી પૌરાણિક ગઢનો પૈકીનો સૌરાષ્ટ્રનો આ ગઢ વઢવાણ ફરતે આવેલો ગઢ ગણવામાં આવે છે તેની જાળવણી જરૂરી છે.

બીજી તરફ ગંગાવાવ અને માધાવાવ જેવી વાવો પણ આવેલી છે ત્યાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાળવણી કરવામાં આવતી નથી જેને લઇને વાવો પણ જર્જરીત બની ગઈ છે અનેક વખત પુરાતત્વ વિભાગ મહાનગરપાલિકા તેમજ કલેકટર કચેરીમાં સ્થાનિક લોકો અને વઢવાણ વાસીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરી અને વાવ ની જાળવણી કરવાની માંગ કરવામાં આવી છે તે છતાં પણ તંત્ર તેની સામું જોવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક સમયે પાણીની અછત હતી ત્યારે વધવા સ્ટેટ દ્વારા આ વાવ નિર્માણ કરવામાં આવી હતી અને સમગ્ર સુરેન્દ્રનગરને એક સમયે પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું તે વાવ પણ હાલ જર્જરીત બની ગઈ છે..

વઢવાણમાં દરવાજાઓ અને બારી પણ આવેલી છે તેની હાલત પણ દૈન્ય છે સુરેન્દ્રનગરનું વઢવાણ હેરિટેજ સિટી તરીકે વિકસાવા માટેના પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે પરંતુ તે છતાં પણ જે ઐતિહાસિક ઈમારતો છે તે જર્જરીત બની ગઈ છે રાણકદેવીનું મંદિર આવેલું છે ત્યાં પણ ચોમાસા દરમિયાન વરસાદનું પાણી અંદર મંદિરમાં પડી રહ્યું છે નજીકમાં પૌરાણિક મંદિરો પણ આવેલા છે ત્યાં પણ જાળવણીના અભાવના કારણે આ મંદિરો ખંઢેર બનતા જઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ મુદ્દે વિચારણા કરી અને વઢવાણના ઐતિહાસિક વારસાને જાળવી રાખવાના પ્રયત્ન કરવામાં આવે તેવી લોકમાં ગોઠવા પામે છે..

● વઢવાણ હેરિટેજ સિટી તરીકે વિકસાવા મહાનગરપાલિકા 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે – સર્વે કામગીરી શરૂ કરવામાં આવશે..

રાણકદેવીનું મંદિર મહાવીર સ્વામી ના પગલાં તેમજ ગંગાવાવ માધાવાવ તેમજ ભોગાવો નદી અને વઢવાણ ફરતે આવેલો ગઢ અને પૌરાણિક મંદિરો અને જુના ઐતિહાસિક વારસા વઢવાણમાં આવેલા છે તેની જાળવણી પાછળ મહાનગરપાલિકા દ્વારા 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે હાલ સર્વે માટેની ટીમો કામે લગાવવામાં આવશે તેવું પણ મહાનગરપાલિકાના કમિશનર ડો.નવનાથ ગૌવ્હાણે દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે વઢવાણ માં આવેલા તમામ ઐતિહાસિક સ્થળોને વિકસાવવા માટેની વિચારણા પણ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે પ્રથમ વખત 25 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સરકારમાં રજૂ કરી અને વઢવાણ ઐતિહાસિક ગામ તરીકે વિકસે તે પ્રકારના પ્રયાસો મહાનગરપાલિકા દ્વારા હવે શરૂ કરવામાં આવ્યા છે..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર આઇ.ઓ.સી.એલ ખાતે બોમ્બ એટેક અંગેની મોકડ્રિલ યોજવામાં આવી..
Next: પાંચ વર્ષથી નાસતા-ફરતા ‘ખૂનની કોશિશ’ના આરોપીને LCB એ ધ્રાંગધ્રા ખાતેથી દબોચ્યો

Related News

Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

user 2 22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

user 2 22 March 2026
Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add