સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમનો અમદાવાદ ટુર્નામેન્ટમા વિજય થયો .
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદ એવેન્જર ગ્રુપ દ્વારા ઓલ ગુજરાત સિનિયર સિટીઝન ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન થયેલ તેમા જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમે ફાઇનલ મેચમા પૂર્વ ચેમ્પિયન બરોડા ની ટીમને કારમો પરાજય આપી ચેમ્પિયન બનેલ.
તેને અનુલક્ષી શહેરની હોટેલમા ટીમનો સત્કાર સમારંભ યોજેલ જેમા આપણા સુરેન્દ્રનગર ના સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકાર ના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તથા ઝાલાવાડ ક્ષત્રીય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રસિંહ ઝાલા તેમજ લાયન્સ કલબ ઓફ ક્રાઉન સુરેન્દ્રનગરના દિગ્વિજયસિંહ ચુડાસમા ઉપસ્થિત રહીને ફાઇનલ મા બેસ્ટ પ્રદર્શન કરનાર ટીમના ખેલાડીઓ જેમા બેસ્ટ બેસ્ટમેન અમ્રતસિંહ મકવાણા બેસ્ટ બોલર વનરાજસિંહ પરમાર બેસ્ટ ફિલ્ડર તથા સીરીઝ ઓફ ધ ટુર્નામેન્ટ ભગીરથસિંહ ચુડાસમા તથા બેસ્ટ વિકેટકીપર પી.પી. જોશી તથા ટીમના કેપ્ટન જે.પી. રાણા ને તેમના ઓલરાઉન્ડ પ્રદર્શન તથા સુંદર કેપ્ટનશીપ કરવા બદલ મોમેન્ટો આપી સન્માનિત કરવામા આવ્યા તથા પૂરી ટીમને મેડલ આપી સન્માનિત કરવામા આવ્યા હતા.
અને સુરેન્દ્રનગર ખાતે આવનારા ડિસેમ્બર મહિનામા ઓલ ઇન્ડિયા લેવલની સિનિયર સિટીઝન ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન બાબતે પણ ચર્ચા કરવામા આવી.