સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે. 14 માર્ચના રોજ લેવાયેલા વિવિધ વિષયોની પરીક્ષામાં કુલ 47 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. ધોરણ 10માં રીટેઈલ, આઈ.ટી., હેલ્થ કેર અને પ્લમ્બિંગ જેવા ટેકનિકલ વિષયોમાં કુલ 836 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 26 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા નહોતા.
બીજી તરફ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં તમામ 99 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને એક પણ ગેરહાજરી નોંધાઈ નહોતી. જોકે, ધોરણ 12ના અન્ય વિષયો જેવા કે સંગીત, કોમ્પ્યુટર અને ચિત્રકામની પરીક્ષામાં 747 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 21 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ, જિલ્લાના અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પરથી કુલ 47 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નહોતી.
