Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં વરસાદ થી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીને નુકસાન..

jeet 30 October 2025
IMG-20251030-WA0028

રીંગણ મરચા ધાણા કોબી ફુલાવર તુરીયા સહીતના શાકભાજી ઉકરડામાં ફેંકી દેવા ખેડૂતો મજબુર..

સતત વરસાદ થી શાકભાજીની ક્વોલિટી ખરાબ થઇ ગઇ..

Join Our WhatsApp Group

માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની ઓછી આવક પણ છતાં કોઈ ખરીદી કરવા નથી ત્યાર…

ખેડૂતોએ માલઢોર અને ઉકરડામાં શાકભાજી ફેંકી દેવા બન્યા મજબૂર..

ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું માવઠું..

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયા બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં માવઠાએ જોર પકડ્યું છે અને જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેને લઇને કપાસ મગફળી એરંડા જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે પરંતુ હવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા જે શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે તેને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના છેવાળા ના ઝીંઝુડા સહિતના ગામોના ખેડૂતો દ્વારા શાકભાજીનો વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદના કારણે શાકભાજીનું વાવેતર બગડી જવા પામ્યું છે.

સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા લાવવામાં આવતું શાકભાજી ખરાબ થઈ જતા ફેંકી દેવું પડી રહ્યું હોય તે પ્રકારનો ઘાટ સર્જાય જવા પામ્યો છે ખેડૂતો આખી રાત જાગી મહેનત કરી અને શાકભાજી આવા વરસાદની સિઝનમાં પણ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડી રહ્યા છે પરંતુ તેની પોલિટી ખરાબ થઈ ગઈ હોવાના કારણે ગ્રાહકો અને ખાસ કરીને જે વેપારીઓ છે તે આ શાકભાજી ખરીદવા તૈયાર થતા નથી હોતા પરિણામે આ શાકભાજી છે તે ફેંકી દેવા માટે ખેડૂતોને મજબૂર બનવું પડી રહ્યું છે.

ખાસ કરીને વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં રીંગણ લીલા મરચા, ધાણા કોબીજ ફુલાવર સહિતના શાકભાજીની આવક થઈ રહી છે પરંતુ વરસાદના કારણે શાકભાજી ભીના થઈ ગયેલા હોવાના કારણે વેપારીઓ ખરીદી કરવા માટે નનૈયો કરતા હોય છે અને પરિણામે આ શાકભાજીની કોઈ ખરીદી ન કરતા હોવાના કારણે ખેડૂતોને આ શાકભાજી પશુઓને અને ઢોરને ખવડાવવા પડે છે અથવા તો ઉકરડામાં ફેંકી અને ખેડૂતો જતા રહેતા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે.

એક બાજુ વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે બીજી બાજુ ભાવ પણ વધી રહ્યા છે પરંતુ શાકભાજી ખરાબ થઈ જતા હોવાના કારણે અને ક્વોલિટી ખરાબ થઈ જતી હોવાના કારણે શાકભાજીની ખરીદી કરવા માટે વેપારીઓ તૈયાર નથી ત્યારે શાકભાજી ફેંકી દેવું પડતું હોય અને ઢોરને નાખી દેવું પડતું હોય તેવી નોબત સર્જાય જવા પામી છે.

● સ્થાનિક ખેડૂતોના શાકભાજીના વાવેતરને નુકસાન બહારથી આવતું શાકભાજી 30 થી 40% મોંઘુ..

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા રીંગણ ટમેટા ધાણા ફુલાવર જેવા શાકભાજીનું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદના કારણે તેમાં નુકસાન થયું છે અને સ્થાનિક શાકભાજીની આવકમાં ઘટાડો થતાં માર્કેટિંગ એરોમાં બહારથી શાકભાજી આવી રહ્યું છે તે 30 થી 40% મોંઘુ પડી રહ્યું છે જેને લઈને માવઠાથી ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ જતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બજારમાં આવતું શાકભાજી મોંઘુ બની રહ્યું છે માવઠાના કારણે આવક ઓછી થઈ રહી છે શાકભાજી બગડી પણ વધુ રહ્યું છે જેને લઈને ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

● હજુ 15 દિવસ શાકભાજીના ભાવોમાં રહેશે વધારો..

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ માવઠાના વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને લઇને ખેડૂતો ખેતરમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી 15 દિવસ સુધી પાણી ઓસરે તેવી પણ કોઈ પરિસ્થિતિ ન હોવાના કારણે હાલના પરિસ્થિતિમાં 15 દિવસ સુધી શાકભાજીના ભાવો ઉચકાયેલા રહેશે તેવું વેપારીઓ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરના વધુ એક ભાજપના ધારાસભ્યએ સીએમને માવઠાની નુકસાની સહાય આપવા માટે લખ્યો પત્ર
Next: સુરેન્દ્રનગરનો દુધરેજનો બંધ કરવામાં આવેલો પુલ 19 નવેમ્બર સુધીમાં સમારકામ પૂર્ણ થઈ જશે.

Related News

Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026
Surendranagar Update New Logo

પાટડીઃ 9 વર્ષની બાળકીની છેડતી કરનાર 55 વર્ષીય નરાધમને 5 વર્ષની કેદ

user 2 11 January 2026
Untitled design_20251212_100556_0000

સુરેન્દ્રનગરના સરકારી પુસ્તકાલયમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા ત્રણ દિવસ સુધી લાઈટો બંધ રહી..

jeet 12 December 2025

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add