શેરીમાં રમતા 5 થી વધુ બાળકોને બચકા ભર્યા..
મહાનગરપાલિકાનો સંપર્ક કરવામાં આવતા હડકાયા શ્વાન પકડવાની વેવસ્થા જ ન હોવાનો મળ્યો જવાબ..
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં હડકાયા શ્વાનનો આંતક સતત વધતો જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલા મિલની ચાલી નજીક શેરીમાં રમતા બાળકોને હડકાયા શ્વાનને બચકા ભર્યા છે પાંચથી વધુ બાળકોને બચકા ભરતા સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં એક મહિનામાં 1100 જેટલા લોકો ડોગ બાઈટ નો ભોગ બન્યા હોવાનો આંકડો સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ માંથી સામે આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલા મીલ ની ચાલી વિસ્તારમાં અચાનક શ્વાન હડકાયું થયું હતું અને શેરીમાં રમતા બાળકોને બચકા ભર્યા હતા..
ભોગ બનના તમામ બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રેબિજના સિરમ અને રસી આપવામાં આવી હતી ત્યારે આ સંદર્ભે સ્થાનિક લોકો દ્વારા હડકાયા શ્વાન ને પકડવા માટે મહાનગરપાલિક નો સંપર્ક સાધવામાં આવ્યો હતો ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકોને એવું જણાવવામાં આવ્યું હતું કે પાલિકામાં રખડતા અને હડકાયા સ્વાન પકડવા માટેની કોઈ ટીમ જ નથી..

તેને લઈ સ્થાનિક લોકોમાં રોજ જોવા મળ્યો હતો રોજ સુરેન્દ્રનગર શહેરમાં સરેરાશ 30 થી વધુ લોકોને શ્વાન કરાડતા હોય છે અને એક મહિનામાં 1100થી વધુ લોકોને શ્વાન કરડીયા હોવાની ઓપીડી સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ છે ત્યારે મહાનગર બન્યું પરંતુ પાલિકા પાસે રખડતા અને હાડકાયા શ્વાન પકડવાની કોઈ વ્યવસ્થા જ નથી જેને લઈને રોષ જોવા મળી રહ્યો છે..