બગીચામાં આવેલા બાકડાઓ પણ તૂટેલી હાલતમાં..
રિવરફ્રન્ટ પર મહાનગરપાલિકા દ્વારા બનાવામાં આવ્યો છે બગીચો..

ઠેરઠેર જગ્યા પર બ્લોક જમીનમાં બેસી ગયા..
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નો ડ્રીમ પ્રોજેક્ટ એટલે સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ પરંતુ જ્યારથી રિવરફ્રન્ટ બન્યો છે ત્યારથી વિવાદમાં આવી રહ્યો છે રિવરફ્રન્ટ ઉપર શહેરીજનોને ભોગાવો નદી કાંઠે બેસી શકાય અને નાના બાળકોને રાઇડો ની મજા માણી શકાય તે માટે ક્રિયાગણના સાધનો મૂકવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગર શહેરીજનો તેનો લાભ પણ લઈ રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ઉપર બનાવવામાં આવેલો બગીચો છે તે અત્યંત બિસ્માર હાલતમાં બની ગયો છે.

બગીચાની અંદર મૂકવામાં આવેલા બાંકડાઓ છે તે પણ તૂટેલી હાલતમાં છે તો બીજી તરફ સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ ઉપર બનાવવામાં આવેલો બગીચો છે તે ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવી રહ્યો છે તેના અંદર નાખવામાં આવેલા પેવર બ્લોક પણ ગુમ થઈ ગયા છે અને અનેક જગ્યાઓ ઉપરથી બગીચાની અંદરનો ભાગ બેસી જવા પામ્યો છે બાજુમાં ભોગાવો નદી આવેલી છે તેની ઉપર દિવાલ બનાવી અને આખો બગીચો બનાવવામાં આવ્યો છે.
નાના બાળકો વૃદ્ધો અને યુવા વર્ગ શિયાળાના સમયમાં રનીંગ માટે આ બગીચા નો ઉપયોગ કરતા હોય છે ત્યારે હાલના તબક્કામાં બગીચો બિસ્માર હાલતમાં બની ગયો હોવાના કારણે બગીચામાં આવતા લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે કે બગીચામાં વ્યવસ્થિત રીતે બાંકડાઓ મૂકવામાં આવે અને ખાસ કરીને જ્યાં પેવર બ્લોક બેસી ગયા છે અને અંદરની જમીન બેસી ગઈ છે તેનું રીનોવેશન કામ શરૂ કરી અને વ્યવસ્થિત રીતે બગીચો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
રિવરફ્રન્ટ નો રોડ રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે ત્યારે તેનો પણ સમારકામ કરાવી અને રિવરફ્રન્ટ ડેવલપ થાય તે પ્રકારની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે કારણ કે રિવરફ્રન્ટના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે અને બનાવવામાં આવેલા બગીચો છે તે પણ અત્યંત દયનિય હાલતમાં છે તંત્ર દ્વારા વિચારણા કરી યોગ્ય મરામત કરાવવામાં આવે તેવી સુરેન્દ્રનગર શહેરીજનો અને બગીચામાં આવતા લોકો દ્વારા માંગ કરાઈ છે..