Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ 100 થી વધુને અસર

jeet 27 October 2025
Untitled design_20251027_113224_0000

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ 100 થી વધુને આસર

 100 થી વધુ લોકોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા તમામની સ્થિતિ સુધારા પર

Join Our WhatsApp Group

વઢવાણ લીંબડી અને આજુબાજુના ખાનગી હોસ્પિટલમાં ભોગ બનનાર ગ્રામજનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા..

ગામમાં આરોગ્યની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે ઘરના વાસ્તુ પ્રસંગે ઝેરી ખોરાકની 100 થી વધુ લોકોને અસર થઈ છે ત્યારે ઝાડા ઉલટી અને તાવ અને પગ પકડાઈ જવાની ઘટનાઓ બની જવા પામી છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે મહેશ પટેલ અને તેમના પરિવારજનો દ્વારા નવું મકાન બનાવવામાં આવ્યું હતું અને તેનો વાસ્તુનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આજુબાજુ સહિતના ગ્રામજનો ને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને 600 લોકો ને વાસ્તુના પ્રસંગમાં ભોજન પીરસાયું હતું.

પરંતુ તે દરમિયાન વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ 100થી વધુ લોકોની તબિયત લથડી જવા પામી હતી પ્રાથમિક તબક્કામાં આજુબાજુના ખાનગી ક્લિનિકોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ભોગ બનના લોકોની હાલત ગંભીર હોવાના કારણે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ લીંબડીની આરઆર હોસ્પિટલમાં અને આજુબાજુના સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જોકે આ બાબતને જાણ થતા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને આ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું હતું. ગામમાં જ ભોગ બનનાર તમામ લોકોને સારવાર મળી રહે તે બદલ 6 જેટલી ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી જે લોકોએ ભોજન આરોગ્ય હતું તેમની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી નાના બાળકો મહિલાઓ વૃદ્ધોની તબિયત ઉપર ભારે અસર જોવા મળી હતી સારવાર બાદ તમામની તબિયત સારી થતા તમામને હોસ્પિટલથી રજા અપાઇ હતી

ઘેરઘેર આરોગ્યટીમે તપાસ કરી

નાના એવા ગોમટા ગામમાં ફૂડ પોઝિંગ ની અસર થતા ગામમાં પણ ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો ઘરઘરે માદગીના ખાટલાઓ જોવા મળ્યા હતા અને ફળિયામાં જ ખાટલા નાખી અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ભોગબનાર લોકોની સારવાર શરૂ કરવામાં આવી હતી. વધુ તબિયત લથડતી હોય તો તેમને સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

તમામ આઇટમના નમુના લેવાયા

સમગ્ર ઘટનાને લઇ ઝેરી ખોરાકના નમૂના લેવાયા હતા આ સંદર્ભે હાલમાં એક જ ગામમાં 100 થી વધુ લોકોને ઝેરી ખોરાકની અસર થઈ જતા આરોગ્ય વિભાગની ટીમોમાં પણ દોડધામ મચી છે સરપંચ સહિતના આગેવાનો પણ ઝેરી ખોરાકની અસરનો ભોગ બની ગયા છે ત્યારે આ મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ઝાલાવાડમા વધુ એક માવઠાનો માર ખેડૂતોના થયા બેહાલ..
Next: સુરેન્દ્રનગર: સાંસદ ચંદુભાઈ શિહોરા દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

Related News

Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026
Surendranagar Update New Logo

પાટડીઃ 9 વર્ષની બાળકીની છેડતી કરનાર 55 વર્ષીય નરાધમને 5 વર્ષની કેદ

user 2 11 January 2026
Untitled design_20251212_100556_0000

સુરેન્દ્રનગરના સરકારી પુસ્તકાલયમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા ત્રણ દિવસ સુધી લાઈટો બંધ રહી..

jeet 12 December 2025

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add