સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત છે, ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર લીંબડી નજીક વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે.
કચ્છ જિલ્લાના આદિપુર ગામના વત્ની અશોકભાઈ ક્રિપાલદાસ ચોટાઈ (ઉ.વ.70) લીંબડી પાસેની એક ખાનગી હોટલની બહાર ઉભા હતા, તે દરમિયાન એક ખાનગી બસના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનું ટાયર વૃદ્ધના શરીર પર ફરી વળ્યું હતું.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત અશોકભાઈને તાત્કાલિક લીંબડી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. લીંબડી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
