સુરેન્દ્રનગરની લખતર ગ્રામ પંચાયત ફરી એકવાર વિવાદાસ્પદ નિર્ણયને કારણે ચર્ચામાં આવી છે. સીટી સર્વે નંબર ૨૧૪૯ પૈકીની જગ્યા પર વિધિવત મંજૂરી મેળવી બાંધકામ શરૂ કરનાર અરજદાર યશકુમાર શાહને, પંચાયત દ્વારા અચાનક બાંધકામ ગેરકાયદેસર ગણાવી તોડી પાડવાની નોટિસ ફટકારવામાં આવી છે.
અરજદારનો આક્ષેપ છે કે મહિલા સરપંચના પતિ દ્વારા અંગત અદાવતમાં નિયમો વિરુદ્ધ જઈને હેરાન કરવામાં આવી રહ્યા છે. મંજૂર થયેલા પ્લાન અને રજાચિઠ્ઠી હોવા છતાં તલાટી કે પંચાયતની સભાને વિશ્વાસમાં લીધા વગર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આ મામલે તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી છે.
